________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણનો જન્મ
૨૭ નામ પાડીને રત્નથવાએ ભૂતકાળને ઢંઢોળ્યો, કેકસીને કહ્યું: ‘પ્રિયે, મારા પિતા સુમાલી એક દિવસ સુવર્ણાચલ પર ગયા હતા. ત્યાં એક મહામુનિ સાથે તેમને પરિચય થયો. મહામુનિ મન:પર્યવજ્ઞાનને ધારણ કરનાર હતા. પિતાજીએ મહામુનિને પ્રણામ કરીને વિનયપૂર્વક પૂછયું હતું કે, “આ દિવ્ય હારને કોણ ઉપાડશે?' ત્યારે તે મહામુનિએ કહેલું કે, “આ હારને ઉપાડનાર ભારતવર્ષનો સમ્રાટ રાજા બનશે. અર્ધ-ચક્રવતી બનશે.”
ભૂતકાળમાં થયેલી ભવિષ્યવાણીને રત્નશ્રવાએ સત્ય પડેલી જાણી તેથી તેના હૈયામાં પરમ આનંદ ઊલસ્યો. કેકસીને પણ પોતાના પુત્રનું મહાન ઉજ્જવલ ભાવિ આંખ સામે તરવરવા લાગ્યું અને પોતે એક રત્નકુક્ષિ માતા બની છે. તેનો અપૂર્વ હર્ષ અનુભવવા લાગી.
દશમુખ રાવણના જન્મ પછી કેકસીએ ક્રમશઃ બે પુત્રોને જન્મ આપ્યો; એક કુંભકર્ણ અને બીજો બિભીષણ.
0
0
0
For Private And Personal Use Only