________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ નહિ જોવાય પણ માત્ર નામ પાડનારની પસંદગી જ રહેશે! ડબ્બો હશે તેલનો અને લેબલ હશે “ચોખ્ખું ઘી' નું !
સુમાલીના રાજમહાલયમાં રત્નશ્રવા ખૂબ લાલનપાલનથી ઊછરવા લાગ્યો. બાલ્યકાળથી જ અધ્યાપકો દ્વારા સમાલીએ રત્નશ્રવાનું સર્વાગી ઘડતર કરવા માંડયું. શાસ્ત્રકળા અને જીવન જીવવાની કળાઓનું સર્વાગીણ જ્ઞાન રત્નશ્રવાને મળવા લાગ્યું.
વર્ષો વીતવા લાગ્યાં. જીવનની અવસ્થાઓ પણ પલટાવા માંડી. બાલ્યાવસ્થામાંથી રત્નશ્રવા તરુણાવસ્થામાં પ્રવેશ્યો. જીવનને ભૌતિક આનંદથી રંગી દેવા માટે તલપાપડ બન્યો.
ધનસંપત્તિ, રૂપસંપત્તિ અને વયસંપત્તિનો સુમેળ થયા પછી એ સંપત્તિને આત્મકલ્યાણની સાધના દ્વારા અક્ષય બનાવી લેનાર મહાત્મા કહેવાય છે,
જ્યારે એ સંપત્તિઓને વૈયયિક સુખોના ભોગવટા દ્વારા બરબાદ કરી દેનાર સંસારી જીવાત્મા કહેવાય છે.
રત્નથવા જ્યાં યૌવનના થનગનતા અશ્વો પર આરૂઢ થયો ત્યાં તેની કલ્પનાઓને પાંખો આવી. મહાન ભૌતિક સિદ્ધિઓને હાંસલ કરી લેવાના મનોરથોએ તેના ચિત્તને ઘેરી લીધું. પોતાના મહાન મનોરથોને તેણે કલાચાર્ય કુલચંદ્રની સમક્ષ રજૂ કર્યા.
રત્ન! વિશ્વ પર વિજય મેળવવા માટે માત્ર દેહબળ, શરીરબળ અને સેનાબળ જ પૂરતાં નથી, તે માટે તો જોઈએ છે માંત્રિક અને તાંત્રિક સિદ્ધિઓ.” કુલચન્દ્ર રત્નથવાના મનોરથોને ઊડતા અટકાવ્યા.
તે સિદ્ધિઓ કેવી રીતે મળે?' ખૂબ ઉત્કંઠિત હવે રત્નશ્રવાએ પૂછ્યું. ‘ત માંત્રિક સિદ્ધિઓ માટે તો દેહનાં દમન અને વાસનાઓનાં શમન કરવાં પડે. તે કરવા હું કબૂલ છું, પણ તમે સિદ્ધિનો માર્ગ બતાવો.' કલાચાર્ય કુલચંદ્ર રત્નથવાના ખમીરને માપી જોઈ માંત્રિક સિદ્ધિઓ માટેનું સર્વાગીણ માર્ગદર્શન આપ્યું.
૦ ધ્યાન માટેની એકાંત નિર્જન ભૂમિ. ૦ દેહધૈર્ય માટેનાં આસન અને મુદ્રા. 0 મંત્રાક્ષરની સ્પષ્ટતા. ૦ સંભવિત વિનો સામે ટકી રહેવા માટે તે વિનોનાં સ્વરૂપ.
For Private And Personal Use Only