________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૯
લંકાનું પતન અને ઉત્થાન
બિચારો સુમાલી માલીના દુરાગ્રહ આગળ સુમાલીન ચૂપ થઈ જવું પડ્યું. આકાશમાર્ગ ઉતારાના શિખર પર રાક્ષસવીરો-વાનરવીરોની વિરાટ સેના ઊતરી પડી.
માલીએ ઇન્દ્રને યુદ્ધની હાકલ કરી. ઇન્દ્ર પણ ગાંજ્યો જાય એમ ન હતો. રથનુપરની શેરીએ-શેરીએ યોદ્ધાઓ ઊભરાવા લાગ્યા, યુદ્ધની નોબતથી આકાશમંડલ ધણધણી ઊડ્યું. અરાવત હાથી પર છે આરૂઢ થયો, હાથમાં વજન ધારણ કર્યું. સાગરના જેવી અપાર સેના સાથે ધમધમતો ઇન્દ્ર ધસમસતા માલીની સામે આવી પહોંચ્યાં. ઇન્દ્રનું સંન્ય અને માલીનું સૈન્ય પરસ્પર ભટકાયાં.
સામસામાં શસ્ત્રો અથડાયાં. ભીષણ અગ્નિ જેવા તણખા ઝરવા લાગ્યા. પર્વત પરથી જેમ શિલાઓ ગબડે તેમ હાથી અને ઘોડા રણમાં પડવા લાગ્યા. યોદ્ધાઓનાં માથાં ધડ પરથી ધડાધડ પડવા લાગ્યાં. લોહીના ખાબોચિયાં ઠેરઠેર ભરાવા લાગ્યાં. તર્જાતામાં ઇન્દ્રના સૈન્ય માલીના સૈન્યને ભગાડ્યું. હાથી ગમે તેટલો બળવાન હોય, પણ સિંહની સમક્ષ શું કરે?
માલીએ જ્યાં પોતાનું સૈન્ય ભાગતું જોયું ત્યાં તે રોષથી ભભૂકી ઉઠ્યો. માતેલા સાંઢની જેમ માલી ઇન્દ્રના સૈન્ય પર ધસી ગયો. ગદા, મુર, બારાથી ઇન્દ્રની સેનાને ત્રાહિમામ પોકારાવી દીધી.
ઇન્દ્ર પણ યમ વરણ કુબેર વગેરે સાહસિક સાથીદારો સાથે માલીની સામે આવી ઊભો. ઇન્દ્ર માલીની સામે ખૂનખાર જંગ ખેલવા માંડ્યો. જ્યારે યમ. વણ વગેરેએ સુમાલી વગેરેની સાથે બાથ ભીડી.
પ્રાણની પરવા કર્યા વિના રણવીરો ઝૂઝવા લાગ્યા, પ્રાણની પરવા કરે તે રણવીર નહિ. પ્રાણને માટે પણ વિજય મેળવવા અગણિત યોદ્ધાઓ ભુશરણ થવા લાગ્યા. ઇન્દ્ર અને માલીનું યુદ્ધ લાંબો સમય ચાલ્યું. ઇન્દ્ર છેડાયો. વજથી માલીના ગળાને રહેંસી નાખ્યું.
માલી મર્યા. રાક્ષસ સુભટો અને વાનર સુભટોએ યુદ્ધનું મેદાન છોડયું. ઇન્દ્ર લકાનું રાજ્ય વૈશ્રવણ નામના વિદ્યાધરને આપ્યું અને પોતે રથનુપુરમાં પાછો વળ્યા.
0 0 0
For Private And Personal Use Only