SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાન યુદ્ધની વાટે... ૨૫૭ પવનંજયે હનુમાનને ભિન્નભિન્ન કળાનું શિક્ષણ આપવા માટે નિપુણ આચાર્યોને રોક્યા. તેણે સ્વયં પોતે પણ તેના શિક્ષણ પર ધ્યાન આપવા માંડ્યું. સર્વ જાતની શસ્ત્રકળા અને યુદ્ધ કળામાં હનુમાન નિપુણ બનતો ગયો. બાહુબળ તો આમેય અદ્ભુત હતું, તેમાં જ્યાં શાસ્ત્રોક્ત પદ્ધતિસરનું શિક્ષણ ભળ્યું ત્યાં હનુમાનની શક્તિ અજોડ-અજેય બની ગઈ. જેમ જેમ હનુમાનની વય વધતી ચાલી તેમ તેમ અંજનાએ હનુમાનને આત્મજ્ઞાન પણ આપવા માંડયું. આત્માનું મૂળ સ્વરૂપ સમજાવ્યું. આત્માની કર્મમલિન વિભાવદશાનો પરિચય કરાવ્યો. પણય અને પાપના સિદ્ધાંત પર શ્રદ્ધા સ્થિર બનાવી. કમની સામે જ ઝઝૂમી લેવાનું લક્ષ દઢ બનાવ્યું. તે માટે પરમકૃપાળુ પરમાત્મા જિનેશ્વર દેવની આરાધના – ઉપાસનાનો અપૂર્વ માર્ગ બતાવ્યો. રોજ નીરવ રાત્રે અંજન હનુમાનને તીર્થકર ભગવંતોના પરાક્રમથી ભરપૂર જીવનચરિત્રો સંભળાવતી. હનુમાન એકરસે તેમાં તરબોળ બની જતો! તેનું હૈયું નાચી ઊઠતું.. તેના અંતઃકરણના ઊંડાણમાં વીતરાગનો રાગ જાગી ઊઠતો. જીવનનું અંતિમ સાધ્ય તેને મુક્તિની પ્રાપ્તિ સમજાતું. બધી વાતોમાં અંજના એક લક્ષ નહોતી ચૂકતી કે ક્યારેય પવનંજય સાથેનો પોતાનો ભૂતકાળ હનુમાન સમક્ષ ન કહેવાઈ જાય! પુત્રના હૈયામાં પિતા તરફનો રાગ જરા ય ન ઘવાય, તે માટે પિતાનો કોઈ નાનો ય દોપ પુત્રને ન કહેવો જોઈએ, એ વાત મહાસતી બરાબર સમજતી હતી. આ એક સત્ય સહુએ સમજી લેવા જેવું છે. માતાએ કે પિતાએ, અરસપરસના કોઈ દોષ પોતાનાં સંતાનોને ન કહેવા જોઈએ. જો કહેવામાં આવશે તો સંતાનોના હૈયામાં માતા-પિતા પ્રત્યેનો આદરભાવ નહિ ટકે, પ્રેમભાવ નહિ ટકે. વર્ષો વીતવા લાગ્યાં. હનુમાન યોવનવયમાં પ્રવેશ્યો. તેણે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી. કલા, ગુણો અને સુસંસ્કારોથી હનુમાનનું જીવન ઉન્નત અને આબાદ બન્યું. નાનાંમોટાં પરાક્રમથી હનુમાને સહુનાં દિલ જીતી લીધાં. તેમાં ય અંજનાના હર્ષની કોઈ સીમા નહોતી. આમ હપુરમાં આનંદમંગલ વર્તી રહ્યો હતો ત્યાં લંકામાં રાવણ મોટી ગડમથલમાં પડી ગયો હતો. તેના ચિત્તમાં વરુણ કાંટાની જેમ ખૂંચ્યા કરતો હતો. તેનું અભિમાની માનસ વરુણ પર વિજય મેળવવા માટે તલસી રહ્યું હતું. પવનંજયે વરુણની સાથે મિત્રતાનો સંબંધ બાંધીને એક વાર તો મોટા For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy