________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલનું પરિણામ
૨૦૯ “ના, મારી કોઈ યોગ્યતા નથી, મારી કોઈ મહાનતા નથી. ઉપકાર છે પેલાં સાધ્વીજી મહારાજનો, તે જ મને ન મળી ગયાં હોત, તેમણે જે કૃપા કરીને મને ઊભી ન રાખી હોત તો હું આ કુકૃત્યમાંથી પાછી ન પડત.”
કોણ હતાં એ સાધ્વીજી મહારાજ?' લમીવતીએ ઉત્સુકતાથી પૂછ્યું.
મેં તેમનું નામ તો નહોતું પૂછ્યું, પરંતુ હજુય તેમની સૌમ્ય મુખાકૃતિ, કરુણા નીતરતાં લોચન મારી આંખો સામે તરવરે છે. તેમનાં હિતકારી વચનો હજુય મારા કાનમાં સંભળાઈ રહ્યાં છે..મનોમન કનકોદરીએ સાધ્વીને વંદના કરી.
‘તો તો આપણે તેઓશ્રી પાસે જરૂર જઈએ. તેઓ આ નગરમાં જ પધાર્યા છે ને?' ‘હા, તેઓ નગરમાં જ પ્રવેશ્યાં છે.”
કનકોદરીનું હૃદય મૃદુ બની ગયું. આજે તેને કોઈ ભવ્ય જીવનનો આરંભ થતો દેખાયો. લક્ષ્મીવતી પ્રત્યે તેના અંતઃકરણમાં સભાવ જાગ્યાં. પરમાત્મા શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે તેનો આત્મા ભક્તિભીનો બની ગયા.
રાત્રિનો પ્રારંભ થઈ ગટ્ય હતો. મહેલમાં સર્વત્ર આનંદનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ હજુ એક આત્માને જંપ નહોતો વળ્યો.
તે હતી સુલેખા.
સુલેખાના ચિત્તમાં અનેક ઉથલપાથલો થઈ રહી હતી. કનકોદરીના દુષ્કજ્યમાં પોતે ભાગીદાર બની છે, તેનું દુઃખ હૈયાને સતાવી રહેલું છે. તેણે એ પણ જાયું કે કાકોદરી ક્ષમાપના દ્વારા વિશુદ્ધ બની છે જ્યારે પોતે હજુ પાપની મલિનતા ધોઈ શકી નથી.
તે પોતાના ખંડમાં આંટા મારે છે, પલંગમાં આડી પડે છે, કંઈક ગાવા મથે છે, એમ કરીને તે પોતાનું પાપ ભૂલવા પ્રયત્ન કરે છે, પરંતુ જેમ જેમ તે ભૂલવા પ્રયત્ન કરે છે તેમ તેમ પાપના પ્રચંડ ઓળા તેને વધુ સતાવે છે, તેના ચિત્તમાં અનેક વિકલ્પો ઊઠી રહ્યા છે.
શું કરું? ક્યાં જાઉં? હું પણ લક્ષ્મીવતી પાસે જાઉ? એની ક્ષમા માગી આવું? પણ એ શું ધારશે?' મેં શ્રાવિકાનો વેશ સજીને એને ઠગી છે. એ મને કેવી માનશે? ના, ના, પણ કનકોદરીએ મારો વૃત્તાંત કહી તો દીધો જ હશે. હવે કંઈ છૂપું નથી અને જ્યાં સુધી હું પાપને છુપાવવા પ્રયત્ન કરીશ ત્યાં સુધી મારા જીવને શાંતિ નહિ વળે.'
For Private And Personal Use Only