________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાનું પતન અને ઉત્થાન
૧૧ દેવ ફરીથી તે મહાન સાધુને વાંઘા. લંકાપતિની અનુજ્ઞા લીધી અને ત્યાંથી અદશ્ય થઈ ગયો.
અહીં તડિત્વેશના ચિત્તમાં તો મોટાં ખળભળાટ મચી ગયો. “કમાં પરાધીન આભાઆ ભવમાં ભટકતાં કવી ભૂલો કરે છે? એ ભૂલાનાં કેવાં ભયંકર પરિણામો આવે છે..!' ચિંતન કરતાં કરતાં તેને ભવના ભોગો અસાર ભાસ્યા.
તડિકેશ રાજા મુનિરાજ વંદના કરી, પરિવારની સાથે લંકામાં પાછા ગયો. હવે નથી ગમતું તને રાજ્ય-સિંહાસન, નથી ગમતી રાણીઓ સાથેની ફડા, નથી ગમતાં ખાનપાન કે નથી ગમતાં લંકાનાં નંદનવનો.
પુત્ર સુકેશને બોલાવ્યો અને લંકાનું રાજ્ય તેને સોંપ્યું.
તડિકેશ રાજર્ષિ બની ગયા, દીર્ધકાળ સંયમજીવનનું ઉગ્ર પાલન કર્યું અને સર્વ કમાંથી મુક્ત બની. તે મહર્ષિ પરમપદને પામ્યા.
વાનરદીપનો અધિપતિ ઘનોદધિરથ તડિત્કશનો પરમપ્રિય મિત્ર હતો, તડિકેશ સંસાર ત્યાગ કરી ચાલી નીકળ અને ઘનોદધિરથ રાજ્યમાં લંપટ થઈને બેસી રહે? તેણે પણ સંયમજીવન સ્વીકારી લીધું. તે શિવપદનાં પરમ યાત્રિક બની ગયો.
રાક્ષશ્વર સુકેશ બન્યો અને વાનરેશ્વર કિિિબ્ધ બન્યો.
એ અરસામાં વૈતાઢય પર્વત પર આદિત્યપુર નગરમાં મંદિરમાલી નામનો વિદ્યાધરેશ રાજ્ય કરતો હતો. તેને શ્રીમાલા નામની એક પુત્રી હતી.
શ્રીમાલા યૌવનમાં આવી. મંદિરમાલીએ પુત્રીને સુયોગ્ય પતિ પ્રાપ્ત થાય તે હેતુથી સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવરમાં સર્વે વિદ્યાધર રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યાં.
તેમાં વાનરેશ્વર કિષ્ક્રિબ્ધિ પણ આવી પહોંચ્યો. સેંકડો વિદ્યાધર રાજાઓ રવયંવરમંડપમાં સિંહાસન પર ગોઠવાઈ ગયા.
શણગારમાં ખામી હોય ખરી? પોતાના સંપત્તિવંભવના પ્રદર્શનનો આનાથી ક્યો બીજ સુંદર અવસર મળવાનો હતો? રાજકુમારીની રાહ જોવાઈ રહી હતી.
ત્યાં તો શ્રીમાલા સોળે શણગાર સજીને સ્વયંવરમંડપમાં દાખલ થઈ. જાણે સ્વર્ગને આંગણે ઉર્વશી રમવા નીકળી! હાથમાં સુગંધભરપૂર પુષ્પોની ગૂંથેલી મનોહર માળા હતી, બાજુમાં પીઢ અને અનુભવી દાસી હતી.
For Private And Personal Use Only