________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
જૈન રામાયણ અનેક વિચારો કરવા છતાં એ કોઈ પણ જાતના નિર્ણય પર ન આવી શક્યો ત્યારે તેને પ્રહસિત યાદ આવ્યો. “ક્યારે સવાર પડે અને મિત્રની સલાહ લઉં.” એ વિચારમાં ને વિચારમાં તે સવાર પડવાની રાહ જોઈ રહ્યો.
પ્રહસિત પણ ખૂબ જ ચિંતાતુર હતો. મિત્ર પવનંજય કોઈ પણ સાહસ ન કરી બેસે તે માટે તે જાગતો ને જાગતો જ પોતાના શયનખંડમાં પડ્યો હતો. કોઈ પણ ઉપાય દ્વારા પવનંજયના હૃદયમાંથી અંજના માટેના દુષ્ટ વિકલ્પ દૂર કરવા માટે પ્રહસિત યોજના વિચારી રહ્યો હતો.
અરુણોદય થયો. પ્રહસિત ઊઠીને સીધો જ પવનંજયના શયનખંડમાં પહોંચ્યો. પવનંજય પ્રહસિતની રાહ જોઈને જ બેઠો હતો. પ્રહસિતને જોતાં જ પવનંજય પલંગમાંથી બેઠો થઈ ગયો અને પ્રહસિતને પોતાની બાજુમાં બેસાડયો.
પ્રહસિત, અંજના સાથે લગ્ન કરવાથી સર્વ પર્વ... 'મિત્ર, તું જરા સ્વરચિત્તે વિચાર કર.”
“મારું મન અત્યારે ઘણું જ વિદ્વળ છે. હજુ પણ એ શબ્દો મારા કાનમાં શુળની જેમ ભોંકાયા કરે છે.”
તારી વાત સાચી છે, પરંતુ તું જ અંજનાના રાત્રિના સંયોગને વિચાર કરીશ તો તને અંજના જરૂ૨ બિનગુનેગાર લાગશ. લગ્નના આગલા દિવસોમાં સખીઓ કન્યાની સમક્ષ પતિના ગુણદીપ બાલી, કન્યાના ચિત્તનું રંજન કરતી હોય છે. એમાં પતિને હકીકતમાં કંઈ તે હલકો પાડતી નથી. આપણી સંસ્કૃતિના હિસાબે એવા પ્રસંગે કન્યાએ મૌન જ રહેવું જોઈએ. જો સખીઓની વાતચીતમાં, વાર્તાવિનોદમાં એ ભાગ લે તો તેમાં કન્યાની નિર્લજ્જતા કહેવાય! માટે અંજનાના મનમાંથી તારે એ અર્થ ન કાઢવો જોઈએ કે એના હૃદયમાં વિધુત્રભ છે અને તું નથી.'
ગમે તેમ કહે, પરંતુ મને એના પ્રત્યે પૂરેપૂરી અરુચિ થઈ ગઈ છે. મને જે વસ્તુ પર અરુચિ થઈ ગઈ પછી ભલે મિષ્ટાન્ન હોય, છતાં પાવું ન જ ભાવે. એવી અરુચિથી ખાવાની જરૂર પણ શી? પણ આમાં એક ગુણિયલ સ્ત્રી પ્રત્યે તું ભારોભાર અન્યાય કરી રહ્યું છે.'
મને અન્યાય નથી લાગતો. હજુ ક્યાં હું એને પરણ્યો છું? બીજા કોઈ રાજ કુમારને...
For Private And Personal Use Only