________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરની પસંદગી
૧૫૯ કરતી હતી, હૃદયસુંદરીને અચાનક યાદ આવ્યું. દોડતી એ અંજના પાસે આવી અને તૈયાર થવા કહ્યું.
શાની તૈયારી મા?' અંજનાને તો નંદીશ્વરદીપની યાત્રાનો ખ્યાલ જ ના હતો.
કેમ, તને સમાચાર નથી મળ્યા? નંદીશ્વરદ્વીપ જવાનું છે. આપણે!'
બહુ સરસ, આ તૈયાર થઈ સમજ!' તીર્થયાત્રાની વાત આવતાં તે નાચી ઊઠી. માતાને વિદાય કરી, સખીઓને તૈયાર થવા અંજનાએ કહ્યું. પરંતુ અંજનાની પ્રિય સખી વસંતતિલકા ત્યાં હાજર ન હતી. ‘વસંતતિલકા ક્યાં છે?” અંજનાએ પૂછ્યું. “એ આવી!” કારમાં પેસતા જ વસંતતિલકાએ કહ્યું. આયુષ્ય મોટું લાગે છે!” મારી સખી કરતાં નાનું!' “એટલે મારા કરતાં વહેલું મરવું છે એમ ને?' ‘હાસ્તો! તને આંખ સામે જોતી જોતી મરું તો..”
“અરે, અત્યારે વળી મરવાની વાત! જીવવાની વાત કરો ને બીજી સખીએ કહ્યું. “અરે, પણ તું ક્યાં ગઈ હતી?' અંજનાએ વસંતતિલકાને પૂછ્યું. મંત્રણાલયમાં!” ગંભીર મુખ કરીને વસન્તતિલકાએ જવાબ આપ્યો. તે તને કોણે મંત્રણાલયમાં ધૂસવા દીધી?' મને કોણ રોકી શકે એમ છે?” ‘ઓ હો!' 'હાસ્તો! માતાજીની પૂંઠે પૂંઠે પહોંચી ગઈ...” “મહાન પરાક્રમી!” ‘ત્યારે શું ઓછી પરાક્રમી છું?' “ઠીક, ઓછી નહિ. પણ એ તો કહે, મંત્રણાલયમાંથી શું જાણી લાવી ?' અંજનાએ મૂળ વાત પર આવતાં પૂછ્યું.
બા-બાપુજીએ આજે તારો ફેંસલો કરી દીધો!' “મારો?'
For Private And Personal Use Only