________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
જૈન રામાયણ જવાબદાર નથી? સંતાનોના માનસિક વલણથી હરહંમેશ વડીલો વાકેફ રહે અને એને અનુરૂપ વર્તન રાખે તો સંતાનો કદીય સ્વતંત્ર મિજાજવાળાં નહિ બને અને માતા-પિતા સંતાનોના જીવનમાં સ્વચ્છંદાચાર ન પ્રવશે તેની તકેદારી રાખે!
“યૌવનમાં પ્રવેશેલી અંજનાના ચિત્તની સ્થિતિનો યથાર્થ ખ્યાલ રાજારાણીને હતો અને તે મુજબ તેમણે તેના માટે યોગ્ય વરની પસંદગીનું કાર્ય પ્રારંવ્યું ‘અમારી કન્યા કેવા વરની ઝંખના ફરતી હશે ? રૂપવાન, ગુરાવાન, મૃદુ સ્વભાવવાળો, કાર્યદક્ષ, પ્રેમાળ, શુર, વીર, આવો વર એ ઇચ્છે, માટે આપણે એવા વરની તપાસ કરો!
વડીલો ને સંતાનોના બધા જ વિચારો ફગાવી દેવા પ્રયત્ન કરશે અને પોતાના જ વિચારો મુજબ વર્તવા સંતાનો પર દબાણ લાદેશે . પરિણામ અતિ દાણ આવશે.” સંતાનોના વિચારોને સમજવા માટે વડીલોએ થોડીક ફુરસદ કાઢવી જ રહી.
મહારાજાનો જય હો! વિજય હો!” એક વિદ્યાધરે આવીને રાજા મહેન્દ્રનાં ચરણોમાં મસ્તક નમાવ્યું.
“મહારાજા! આવતીકાલનો દિવસ મહાતીર્થ નંદીશ્વર દ્વીપની યાત્રાના ભવ્ય દિવસ છે. લાખો વિદ્યાધરો સાથે વિદ્યાધર નરેન્દ્ર આવતી કાલે નંદીશ્વર દ્વીપ પર પહોંચી જશે અને પરમાત્મા શ્રી જિનશ્વરદેવની અપૂર્વ ભક્તિ કરશે, મહોત્સવ ઊજવશે.”
બહુ સરસ. આપણે પણ જવાની અત્યારે જ તૈયારી કરો,' એમ કહી રાજા મહેન્દ્ર આગંતુક વિદ્યાધરને અલંકારોની ભેટથી ભરી દીધો!
દેવી, તમે પણ તૈયાર થાઓ. આજે જ આપણે નંદીશ્વર પહોંચી જઈએ. અંતઃપુરમાં બધાને તૈયાર થવાનું કહો. હું પણ તૈયાર થાઉં છું.”
જેવી સ્વામીની આજ્ઞા!” પતિને બે હાથ જોડી, મસ્તક નમાવી હૃદયસુંદરી પરિચારિકાઓની સાથે અંતઃપુર તરફ રવાના થઈ. રાજા મહેન્દ્ર મહામંત્રી સાથે કેટલીક રાજકીય બાબતો અંગે મસલત કરી, પોતાના ભવનમાં પહોંચી ગયા.
નંદીશ્વરની યાત્રાએ જવા આખા ય નગરમાં તૈયારી થવા માંડી. રાજાના અંતઃપુરમાં પણ ભારે ઉલ્લાસ વ્યાપી ગયો.
અંજના, બેટા તૈયાર થઈ કે નહિ?” હૃદયસુંદરી અંજનાને કહેવાનું ભૂલી જ ગઈ હતી; અને અંજના તો એના ખંડમાં બેઠી બેઠી સખીઓ સાથે વાર્તાવિનોદ
For Private And Personal Use Only