________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
જૈન રામાયણ સંકેત મુજબ સગરના પુત્ર સગરને ઉપાડીને યજ્ઞના ધખધખતા અગ્નિમાં હોમી દીધો. પર્વતે મોટા સ્વરે મામધનો મંત્રાલર ઉચ્ચાર્યો, સુલતાને ઉપાડીને હોમમાં હામી દેવામાં આવી.
બસ! કાર્ય સમાપ્ત થઈ ગયું. મહાકાલના કલેજે ઠંડક વળી, વેરની વસૂલાત લેવાઈ ગઈ. પર્વતને રખડતો મૂકી, મહાકાલ પોતાને સ્થાને ચાલ્યો ગયો!
કેવી સ્વાર્થસાધકતા! પોતાના સ્વાર્થને સાધવાની પાછળ કેટલા, અસંખ્ય જીવન કારમાં હત્યાકાંડ! પાપ-લીલાનું કેવું દારુણ અને હિતવિઘાતક પ્રવર્તન
દશમુખ! ત્યારથી આ હિંસક યજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારથી ધર્મને નામે હિસા, જૂઠ, દુરાચાર વગેરે સેંકડો પાપો આચરાઈ રહ્યાં છે. પરંતુ હવે મારે તમને એક જ વાત કહેવી છે કે જ્યાં જ્યાં આવા હિંસક યજ્ઞો થતા હોય ત્યાં ત્યાં તે યજ્ઞો તમારે અટકાવવા જોઈએ, કારણ કે તમે સમર્થ છો, શક્તિસમૃદ્ધ છો.”
‘દેવર્ષિ! આપની આજ્ઞા હું શિરે ચઢાવું છું. મારાથી બનતા બધા જ પ્રયત્નોથી આ હિંસક યજ્ઞો નાબૂદ કરીશ.'
રાવણે દેવર્ષિનાં ચરણોમાં નમસ્કાર કર્યા. મરુતુ રાજાએ નારદજીનાં ચરણોમાં પડી, પોતાના અપરાધની ક્ષમા યાચી. નારદજીએ પણ ઉદાર હૃદયે ક્ષમા બક્ષી અને જવા માટે રજા માગી. બંને રાજાઓએ દ્વાર સુધી જઈને નારદજીને વિદાય આપી. નારદજી તો ત્યાંથી ક્ષણવારમાં આકાશમાર્ગે અદૃશ્ય થઈ ગયા.
મતુ રાજા તો અચરજ પામી ગયો. આ દિવ્ય પુરુષ કોરા? રાવણ પણ જેમને નમે, બહુમાન કરે!”
પરાક્રમી! આ કૃપાસાગર મહાપુરુષ હતા કે જેમણે મને ઘોર પાપમાંથી ઉગારી લીધો? મતે રાવણ પાસેથી નારદજી અંગે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી.
રાજન! એ મહાપુરુષ નારદજી” તરીકે પૃથ્વી પ્રસિદ્ધ દેવર્ષિ હતા! તેમનો ઇતિહાસ પણ રમૂજી અને રોમાંચક છે!”
મોટા ભાઈ! કહોને ત્યારે એ ઇતિહાસ! ભૂતકાળના અનંત ક્ષેત્ર પર જ પરિભ્રમણ કરવાનો આજનો દિવસ છે!' બિભીષણે કહ્યું :
નમતો પહોર હતો.
For Private And Personal Use Only