SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ જૈન રામાયણ સત્ય એ યજ્ઞનો ધૂપ (ખીલ) છે. સર્વ-જીવરક્ષા એ દક્ષિણા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ વેદી છે. રાજન! વેદોની અંદર આ યજ્ઞ... આ રીતે કરવાનો કહેલો છે કે જેનાથી આત્મા સર્વ કર્મના બંધનથી મુક્ત બને. બાકી જે દુષ્ટ રાક્ષસ જેવા બનીને ઘોર હિંસક યજ્ઞ કરે છે તે મરીને રૌરવ નરકમાં ઉત્પન્ન થાય છે. રાજન! તમે બુદ્ધિશાળી છો, ઉત્તમ કુળના રત્ન છો. આ દારુણ ઘાતકી કૃત્યથી તમે પાછા...' પણ નારદજીનું વાક્ય પૂરું થાય ત્યાં તો નારદજીના શરીર પર ધડ...ધડ...ધડ...દંડાઓ તૂટી પડ્યા. બ્રાહ્મણો ઉશ્કેરાયા, કેટલાક તો તલવાર લઈને નારદજીની પાછળ પડ્યા, નારદજી દોડડ્યા, દોટ મૂકીને ભાગ્યા! યજ્ઞમંડપની બહાર આવીને સીધા જ આકાશમાર્ગે ઊડ્યા! આકાશમાર્ગેથી રાવણની વિરાટ કાફલો પસાર થઈ રહ્યો હતો. નારદજીએ પુષ્પક વિમાન જાયું. સીધા નારદજી વિમાનની આગળ જઈને ઊભા. પોકાર કર્યો, બચાવો બચાવો.” રાવણે જતા દેવર્ષિને જોતાં, તરત જ વિમાન થંભાવી દીધું. હાથ જોડીને મસ્તક નમાવીને રાવણે પૂછયું : “કેમ આમ બેબાકળા?' ‘કાળો કેર વર્તાઈ રહ્યો છે.' ધ્રુજતા અવાજે દેવર્ષિ બોલ્યા. કોના પર? કોણ વર્તાવે છે? શા માટે ?' રાવણે એક સાથે પ્રશનો કર્યા. નારદજીએ અથથી ઇતિ સુધી બધી જ વાત કરી. રાવણનું કાળજું કંપી ઊઠ્યું. રાવણે વિમાનને રાજપુરનગરના ઉદ્યાનમાં ઉતાર્યું. મરુત રાજાને ખબર પડી કે ઉધાનમાં પુષ્પક વિમાન સાથે લંકાપતિ રાવણ આવ્યો છે. તરત જ રાજા મત ઉદ્યાનમાં આવ્યો... રાવણનાં ચરણોમાં નમન કરી, રાવણનું યોગ્ય સન્માન કર્યું અને સ્વાગત કર્યું. પરંતુ રાવણ પ્રસન્ન ન થયો. કેવી રીતે પ્રસન્ન થાય? એક બાજુ પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ વર્તે અને બીજી બાજુ પોતાની આગતાસ્વાગતા કરે, તેવા મનુષ્યો પ્રત્યે વિવેકી મનુષ્ય આકર્ષાતો નથી , પ્રસન્ન થતો નથી. બીજાને પ્રસન્ન કરવા, એના અભિપ્રાયને સમજી, એ અભિપ્રાયથી વિરુદ્ધ આચરણનો ત્યાગ કરવો અનિવાર્ય હોય છે. રાવણે કહ્યું : “અરે મરુત્, આ તેં શું આરંભ્ય છે? આવો હિંસક યજ્ઞ કરીને તારે ક્યાં જવું છે? સમજી રાખ, જેવી રીતે જીવન તને પ્રિય છે, એવી રીતે આ For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy