SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નારદજીનો ભેટો ૯૭ સિંદૂર, ને કંકુથી કપાળને રંગતા, મંત્રોચ્ચારથી હોઠને ફફડાવતા, અનેક બ્રાહ્મણોની વચ્ચે તેમણે મનોમન વિચાર્યું કે જરૂર આ રાજા જ મહાઅનર્થનું મૂળ છે. એ જ આ યજ્ઞ કરાવતો લાગે છે. નારદજી તો રાજાની પાસે પહોંચ્યા. ‘અરે રાજન! આ તમે શું શરૂ કર્યું છે?' પશુઓની કારમી ચિચિયારીઓ સાંભળીને ખળભળી ઊઠેલા કૃપાસાગર નારદજીએ રાજાને જ પ્રશ્ન કર્યો. કેમ આપને ન સમજાયું? આ તો બ્રાહ્મણનું પરમ ધર્મભૂત યજ્ઞકર્મ થઈ રહ્યું છે!' મત રાજાએ નારદજીના પ્રશ્નનો ઉત્તર આપ્યો. ‘પણ તે યજ્ઞમાં આ પશુઓની શી જરૂર?’ ‘તે પશુઓને આ યજ્ઞની ભડભડતી આગમાં હોમવામાં આવશે...’ અરરર... ભયંકર પાપ... ભયંકર પાપ!' નારદજીને રાજાની આ વાત સાંભળતાં ત્રાસ ત્રાસ થઈ ગયો. ‘તેમાં તમે કેમ અકળાઈ ગયા? આ પશુઓને હોમવાથી પશુઓને સ્વર્ગની પ્રાપ્તિ થશે, દેવો તૃપ્ત થશે!' ‘આવું ભૂત તમને કોણે વળગાડ્યું? પશુઓને હોમવાથી પશુઓને સ્વર્ગ મળશે એમ? તો પછી તમે જ કૂદી પડો ને? તમારે સ્વર્ગ નથી જોઈતું? પહેલાં તો આ બધા ગોળમટોળ પેટાળિયા ધર્મચાંડાલોને જ હોમવા જોઈએ.’ નારદની આગઝરતી વાણીથી બ્રાહ્મણો સમસમી ઊઠ્યા. પરંતુ મરુત રાજાએ નારદજીને પૂછ્યું : ‘તો શું આ મહાધર્મ નથી?’ 'ના, જરાય નહિ. યજ્ઞ જો તારે કરવો હોય તો અહિંસક યજ્ઞ કર.’ ‘તે કેવી રીતે?’ શરીરને યજ્ઞની વેદિકા સમજ. આત્મા એ યજ્ઞ કરનાર છે. તપ એ અગ્નિ છે. જ્ઞાન એ ઘી છે. કર્મો એ સમિધ (લાકડાં) છે. ક્રોધાદિ એ પશુઓ છે. For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy