________________
अणुवसंतेण दुक्करं दमसागरो तरिउं
- ઉત્તરાધ્યયન
વજનદાર પથ્થરને હાથમાં રાખીને પર્વતના શિખર પર પહોંચી જવામાં સફળતા મેળવવાનું શક્ય જ ક્યાં છે? બૂટ કે ચંપલ પહેર્યા વિના ખુલ્લા પગે કાંટાઓથી વ્યાપ્ત એવા જંગલના રસ્તે સહીસલામત ચાલતા રહીને જંગલ પસાર કરી દેવામાં સફળ બનવાનું શક્ય જ ક્યાં છે?
તરી જવો સર્વથા અશક્ય છે. કારણ ? અનુપશાંતતા આખરે તો કષાયનું જ સ્વરૂપ છે ને? અને જ્યાં કષાયભાવ છે ત્યાં કર્મબંધ ચાલુ છે. અને જ્યાં કર્મબંધ ચાલુ છે ત્યાં સંસાર અકબંધ છે. એક વાત ખાસ યાદ રાખજે તું કે જે રાતે ચન્દ્ર વધતો નથી એ રાતે ચન્દ્ર ઘટીને જ રહે છે. એ હકીકત જો ચન્દ્ર માટે છે તો એ જ હકીક્ત મન માટે છે. મન જ્યારે આત્માના પક્ષમાં નથી હોતું, આત્મહિતની વિચારણામાં વ્યસ્ત નથી હોતું, આત્મસ્વરૂપના ચિંતનમાં લીન નથી હોતું ત્યારે અનિવાર્યરૂપે એ શરીરના પક્ષમાં હોય છે. ઇન્દ્રિયોના વિષયોમાં એ લીન હોય છે. ઇન્દ્રિયોના વિષયોની કલ્પનામાં એ વ્યસ્ત હોય છે. આનો તાત્પર્યાર્થ તને સમજાય છે ? ઉપશાંતભાવ એ આત્માનો ગુણ છે. જો એના ઉપયોગમાં રહેવાને બદલે તે અનુપશાંત છે તો એનો અર્થ એટલો જ છે કે તારું મન બહિર્ભાવોમાં રમી રહ્યું છે. બસ, આ બહિર્ભાવોની રમણતા જ તને સંસારમાં રાખવા માટે અને રખડાવવા માટે વાવાઝોડાના પવનની ગરજ સારતી રહેવાની છે. 'उवसमसारो खुसामण्णं' *ઉપશમભાવ એ જ શ્રમણજીવનનો સાર છે” આ પંક્તિ તારા વાંચવામાં અનેકવાર આવી જ છે ને ? તો પછી હવે એ ઉપશમભાવને આત્મસાત્ કરી લેવામાં તું રાહ કોની જોઈ રહ્યો છે?
મુનિ!
તું ઇન્દ્રિયોનો આ મહાસાગર તરી જવા માગે છે ને? અમે તને એટલું જ પૂછીએ છીએ કે તું ઉપશાંત છે ખરો? ચિત્તની સ્થિરતા તારી અકબંધ છે ખરી ? મનની સ્વસ્થતા તારે હાથવગી છે ખરી? જો ના, જો તું અનુપશાંત છે. આવેશના, અહંકારના અને આક્રમકતાના હુમલાઓ જો તારા મન પર અવારનવાર થતા જ રહે છે, અપેક્ષાભંગમાં કે સ્વાર્થભંગમાં નિમિત્ત બનનાર વ્યક્તિઓ પ્રત્યેના દુર્ભાવથી તારું અંતઃકરણ જો વ્યાપ્ત રહ્યા જ કરે છે તો અમે તને કહીએ છીએ કે તારા માટે આ ઇન્દ્રિયોનો, ઇન્દ્રિયોના વિષયોનો. વિષયો પ્રત્યેના મનના આકર્ષણનો મહાસાગર