SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ प्रवचनमातृसहितस्य सर्व्वकालं साधोः नियमेन न भवभयं भवति ગલી ભલેને ગુંડાઓની છે પરંતુ સાથે જો પૉલીસ કમિશનર છે તો પછી ડરવાનું રહે છે જ ક્યાં ? વાતાવરણમાં ઠંડી ભલે ને સખત છે પરંતુ સાથે ધાબળા-સ્વેટર, મફલર વગેરે જો પર્યાપ્ત પ્રમાણમાં છે તો પછી ઠંડીનો ડર રાખવાની જરૂર જ ક્યાં રહે છે ? ભૂખ ભલે ને સખત લાગી છે પરંતુ રસોડામાં રસોઈ જો તૈયાર થયેલી જ પડી છે તો પછી ક્ષુધાનો ત્રાસ વેઠવાની જરૂર જ ક્યાં રહે છે ? મુનિ ! ચાર ગતિરૂપ સંસાર અતિ ભયંકર છે એનો તને ખ્યાલ છે જ. નરકગતિનાં દુઃખોનું વર્ણન સાંભળતા પણ છાતીનાં પાટિયાં બેસી જાય તેમ છે એની તને ખબર છે. તિર્યંચગતિમાં બંધન-છેદન-ભેદન વગેરેની વેદનાઓ કેવી છે એ તે પોતે તારી સગી આંખે અનેક વખત નિહાળ્યું છે. દેવગતિમાં અતૃપ્તિના ત્રાસ કેવા જાલિમ છે એ તે શાસ્ત્રોનાં પાને વાંચ્યા છે. પરાધીનદશા-દારિદ્રય દૌર્ભાગ્ય વગેરેથી મનુષ્યગતિ કેવી દુઃખદાયક બની રહે છે એનો ય તને ખ્યાલ છે. ૪૭ - ષોડશક - ૨ એકેન્દ્રિયપણાંની અને વિકલેન્દ્રિયપણાંની જાલિમ દશા તો તેં આંખ સામે જ જોઈ છે. આ બધું જોયા-સાંભળ્યા બાદ તને એમ થતું હોય કે આ સંસારમાં મારા આત્માનું થશે શું? દુર્ગતિનાં જાલિમ દુઃખો મારા લમણે ઝીંકાઈ જશે તો મારી સમાધિ ટકશે શી રીતે ? આવો ભય જો તારા મનમાં ઘર કરી ગયો હોય તો અમે તને એક સલાહ આપીએ છીએ. તું એક કામ કર. આઠે ય પ્રવચન માતાઓને તું તારી સાથે રાખી લે. એક પળ પણ તારા જીવનની એવી ન જવી જોઈએ કે જે પળમાં પ્રવચન માતાઓ તારી સાથે ન હોય. અલબત્ત, એક બાબતની અમે તને યાદ કરાવવા માગીએ છીએ કે શરીરને જન્મ આપનારી માતા પોતાનાથી બાળક વિખૂટો ન પડી જાય એની ખુદ તકેદારી રાખતી હોય છે જ્યારે ચારિત્ર શરીરને જન્મ આપતી અષ્ટ પ્રવચન માતાઓ તારાથી વિખૂટી ન પડી જાય એની તકેદારી તારે ખુદે રાખવાની છે. તારો મામૂલી પણ પ્રમાદ, અલ્પ પણ અસાવધગીરી અને એ આઠે ય પ્રવચન માતાઓ તારાથી દૂર ! લખી રાખજે તારા દિલની દીવાલ પર કે જો અષ્ટ પ્રવચન માતાઓ સર્વ સમયમાં તારી સાથે જ છે તો આ સંસારનો તારે કોઈ જ ભય રાખવાનો નથી. અને જો અષ્ટ પ્રવચન માતાઓને તેં છોડી દીધી છે તો આ સંસાર તારી રેવડી દાણાદાણ કરી નાખવાનો છે. વાત્સલ્યમયી મમ્મી કમજોર બાળકથી એક પળ માટે ય દૂર રહેતી નથી. કમજોર સંયમી એવા તારે એક પળ માટે ય અષ્ટ પ્રવચન માતાઓને દૂર રાખવાની નથી. તારી મુક્તિ નિશ્ચિત્ત છે. ૪૮
SR No.008897
Book TitleFari Kyare Malse Aa Jivan
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size176 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy