________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુલ્યાણમિત્ર : ધર્મેશ
૭૯ કુમાર, જેમ શરીર પ્રત્યે રાગ નથી રાખવાનો તેમ એના પ્રત્યે દ્વેષ પણ નથી રાખવાનો... સમભાવને સિદ્ધ કરવાનો છે.'
ધર્મેશ, જો હું આહાર ગ્રહણ કરીશ. તો મારાં માતા-પિતા મને આ જીવનમાં ક્યારેય ગૃહત્યાગની અનુમતિ નહીં આપે.'
ભલે ન આપે! ઘરમાં રહીને સાધુજીવન જીવવાની અનુમતિ તો આપી છે ને? તમે આટલાં દિવસોથી ઉપવાસ કરી રહ્યા છો, મૌન ધારણ કરી રહ્યા છો, બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છો. સ્નાન નથી કરતા, સુંદર વસ્ત્રો નથી પહેરતા, રાજસભામાં નથી જતા. છતાં તમને ક્યારેય તમારા માતા-પિતાએ ઠપકો આપ્યો છે? તમારી પાછળ તેઓ પણ કેટલો મોટો ત્યાગ કરી રહ્યાં છે, એ તમે જાણો છો? કોશલા તો સાધ્વી જેવું જ જીવન જીવી રહી છે..
મહાત્મન, ગૃહત્યાગનો વિચાર જ મનમાંથી કાઢી નાંખો. ગૃહવાસનો મોહ દૂર થઈ ગયા પછી, ગૃહસ્થજીવનનાં સુખો પ્રત્યે વૈરાગ્ય જાગી ગયા પછી, ગૃહત્યાગનું વિશેષ મહત્ત્વ રહેતું નથી.
એટલે, હે ગુરુદેવ! હવે મને આહાર લાવવાની અનુમતિ આપો. આપના માટે નિર્દોષ આહાર હું લઈ આવું.”
શિવકુમાર ગંભીર વિચારમાં ડૂબી ગયા. ધર્મેશ મૌન ધારણ કરીને ત્યાં જ બેસી રહ્યો.
“મારૂં મન આહાર ગ્રહણ કરવા માટે નથી માનતું... તું મને આગ્રહ ન કર.'
મુનિરાજ, નહીં માનતા મનને મનાવવું તે પણ ધર્મ આરાધના છે! કોઈ આગ્રહ છે મનનો, માટે તે નથી માનતું. આગ્રહ છે ત્યાં સુધી સમત્વ નથી. અનાગ્રહી મહાત્મા જ સમતાયોગી બની શકે.
મહાત્મ, હવે “ગૃહત્યાગની અનુમતિ મેળવવી છે. આ વાતને જ ભૂલી જાઓ. હવે તો આ વાત યાદ રાખવાની છે કે “મારે ભાવસાધુતાની શ્રેષ્ઠ સાધના કરીને મારા આત્માને કર્મબંધનોથી મુક્ત કરવો છે.”
શું ગૃહત્યાગ કરવાથી જ કર્મક્ષયનો પુરુષાર્થ થઈ શકે? જેમણે જેમણે ગૃહવાસ ત્યજી સાધુવેશ પહેર્યો, શું તે બધા કર્મમુક્ત બની ગયા? મેં તીર્થકર ભગવંતના મુખે સાંભળ્યું છે કે ગૃહવાસ ત્યજવા છતાં જે આત્માઓ કષાયોને ન જીતી શક્યા તેવા અનંત આત્માઓ આ સંસારમાં ભટકી રહ્યા છે... હે
For Private And Personal Use Only