________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. કલ્યાıમત્ર :ધર્મેશ
ધર્મેશે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા. માતા-પિતાની અનુમતિ લીધી અને તે રાજમહેલમાં આવ્યો. - શિવકુમારના વિશાળ ખંડના દ્વારે આવી ત્રણ વાર “નિસહી' બોલ્યો. મસ્તકે અંજલિ જડી તેણે શિવને પ્રણામ કર્યા. “સત્યએ વંદામિ' કહી ખંડમાં પ્રવેશ કર્યો. - શિવકુમાર પાસે જઈ વસ્ત્રથી ભૂમિ-પ્રમાર્જન કરી વિધિવત્ “બાદશાવત વંદન’ કર્યું. “મમ અણુજાણહ' બોલીને તે કુમારની સામે બેઠો. | શિવકુમાર કાંઈક આશ્ચર્યથી.. કાંઈક શંકાથી ધર્મેશની આ બધી ક્રિયાઓ જોઈ રહ્યો હતો. આવી બધી ક્રિયાઓ મેં ક્યાંક જોઈ છે...” મનોમન તે યાદ કરવા લાગ્યો. તેને યાદ આવી ગયું : “ગુરુદેવ સાગરદત્ત મુનિરાજની પાસે તેણે આવો વિનય કરતા મુનિવરોને જોયા હતા. આવા પ્રકારનો વિનય તો સાધુપુરુષોનો કરવામાં આવે છે, ધર્મેશે માર વિનય કેમ કર્યો?” તેણે પૂછ્યું :
ધર્મેશ, આવો વિનય તેં મારો કેમ કર્યો? આવો વિનય તો સંયમધારી મુનિવરોનો કરવામાં આવે છે.'
‘હે કુમાર, તમે સાધુવેશ વિનાના ભાવ સાધુ છો. તમારા આત્મામાં સાચી સાધુતા પ્રગટી ગઈ છે. હું એ સાધુતાના શ્રેષ્ઠ ભાવને વંદું છું.”
કુમાર ધર્મેશની સામે જોઈ રહ્યો. ધર્મેશના મુખ પર અહોભાવ તરતો હતો. તેની આંખોમાં સ્નેહનો સાગર ઊછળતો હતો. તે બોલ્યો : “મહાત્મનું, એક પ્રશ્ન પૂછી શકું?” કુમારે મસ્તક નમાવીને હા પાડી. તમે ભોજન કેમ કરતા નથી?”
ભોજન કેવી રીતે કરું? મારા નિમિત્તે બનતો આહાર તો અશુદ્ધ કહેવાય, સાવદ્ય કહેવાય.... અને આ મહેલમાં રહીને હું નિર્દોષ આહારની ભિક્ષા લેવા તો જઈ શકું નહીં.”
ધર્મેશની આંખો આંસુભીની થઈ ગઈ. ગગ સ્વરે તેણે કહ્યું : “કુમાર, સાચે જ તમે સાધુતા પામ્યા છો... ધન્ય બની ગયા છો તમે, આજથી આપણો સંબંધ બદલાય છે.'
“તે કેવી રીતે?' કુમારે પૂછ્યું.
For Private And Personal Use Only