________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમારના ઉપવાસ
રાત્રિની નીરવ શાન્તિ હતી. ધર્મેશ હવેલીની અગાસીમાં ઊભો હતો. * “શિવ ભાવ-સાધુ બની ગયો છે. તેના આત્મભાવ સાધુતાથી રંગાઈ ગયા છે. વૈષયિક સુખોથી પૂર્ણતયા વિરક્ત બની ગયો છે. શરીરનું મમત્વ પણ રહ્યું નથી... ખરેખર, એનો આત્મા.. મહાત્મા બની ગયો છે, અંતરાત્મા બની ગયો છે.'
પરંતુ કોઈ અવરોધક કર્મ એને નડે છે. નહીંતર રાજા-રાણીનો આટલો બધો પ્રગાઢ મોહ ન હોય. એને સાધુતા માટે અનુમતિ મળી જવી જોઈએ...
જો કે આ અવરોધ માત્ર સાધુવેશ માટે છે. સાધુતા તો એને મળી જ ગઈ છે.'
ધર્મેશના મનમાં અચાનક એક વિચારનો ઝબકાર થયો. તેના શરીરે રોમાંચ થઈ આવ્યો. તે સ્વગત બોલી ઊઠ્યો - “એ ઉપવાસનું પારણું જરૂર કરશે... હું એને આ રીતે સમજાવીશ...' તે પોતાના ખંડમાં જઈ નિદ્રાધીન થયો.
For Private And Personal Use Only