________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમાર
પ
જીવનની સાધનાના ફળરૂપે મને દેવલોકમાં દેવનું અસંખ્ય વર્ષનું જીવન મળ્યું... એ જીવન પૂર્ણ થયું ને અહીં આ નગરીમાં મારો જન્મ થયો!'
‘અદ્ભુત કહેવાય!’
‘આવા જ્ઞાનીપુરુષો જ આવી અદ્ભુત વાતો બતાવી શકે...' ‘સાચી વાત છે આપની....
કુમાર પુનઃ એકદમ ઊંડા વિચારમાં ઊતરી ગયો... એ વિચાર હતો નાગિલાનો, ‘મને સંયમ માર્ગમાં સ્થિર કરનારી મારી પત્ની નાગિલાનું શું થયું હશે? એ મરીને કઈ ગતિમાં ગઈ હશે? મેં મુનિરાજને એના વિષયમાં તો પૂછ્યું જ નહીં... અરે, હું પણ કેવો... નહીંતર જ્યારે મુનિરાજે નાગિલાની વાત કરી ત્યારે જ મારે પૂછી લેવું જોઈતું હતું. આ તો અવધિજ્ઞાની મુનિરાજ છે... મને જરૂ૨ એનો વૃત્તાંત બતાવી દેત. જો એનો મોક્ષ નહીં થયો હોય તો અવશ્ય એ મારી આસપાસમાં જ હોવી જોઈએ... કોઈ પણ રૂપે, કોઈ પણ અવસ્થામાં... જો મોટાભાઈ મળી ગયા તો એ પણ મળી જવી જોઈએ.'
કોશલા ત્યાંથી આવશ્યક કાર્ય માટે ચાલી ગઈ હતી. ખંડમાં એકલો કુમાર હતો. તે ઊભો થયો. ઝરૂખામાં જઈને ઊભો. તે મહેલના ઉદ્યાન તરફનો ઝરૂખો હતો, પક્ષીઓના મધુર કલરવ સિવાય પૂર્ણ શાન્તિ હતી.
‘હવે મારે માતા-પિતાની અનુમતિ મેળવવી જોઈએ. શીઘ્ર સંયમધર્મ સ્વીકારી, અધૂરું રહેલું આત્મવિશુદ્ધિનું કાર્ય પૂર્ણ કરવું જોઈએ. પરંતુ અત્યંત પ્રેમ ધરાવતાં માતાપિતા મને સાધુ બનવા દેશે ખરાં? અનુમતિ આપશે ખરાં? જો કે કોશલાને તો હું સમજાવી દઈશ. આમેય એ સ્ત્રી મારી ઇચ્છાને અનુસરનારી છે, ભલે એને મારા ઉપર પ્રગાઢ પ્રેમ હોય, છતાં એ મારા માર્ગમાં વિઘ્ન નહીં બને. પરંતુ મારાં માતા...પિતા?'
એમની અનુમતિ વિના હું સાધુ નહીં બની શકું! આ પણ કેવું બંધન? કારણ કે હું રાજકુમાર છું... હા, હું રાજકુમાર ન હોત તો આ બંધન ન હોત. માતા-પિતાને સમજાવવા છતાં એ ન માનત તો પણ હું સાધુ બની શકત.
ખરે, જે બને તે ખરું . હું હવે સંસારનાં સુખો નહીં ભોગવી શકું. મારૂં મન આ બધાં સુખો ત૨ફ વિરક્ત બની ગયું છે. મા૨ી વિક્તિ જોઈને માતાપિતા મને અવશ્ય અનુમતિ આપશે...'
કુમાર પુનઃ સાગરદત્ત મુનિની સ્મૃતિમાં સ૨કી ગયો. સાગરદત્ત મુનિવરની સાથેનું મુનિવૃંદ એની કલ્પનામાં આવી ગયું. તેમના ક્રિયાકલાપો... જે તેણે
For Private And Personal Use Only