________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:
૫૭
સાગરદત્ત
‘હે પ્રાણેશ્વર, આપની કોઈ ઇચ્છાથી અમે વિપરીત આચરણ કર્યું નથી. જે આપની ઇચ્છા તે અમારી ઇચ્છા. આપના સુખના માર્ગમાં અમે વિઘ્ન નહીં બનીએ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે કહ્યું : ‘આ જ તમારો સાચો પ્રેમ છે. તમે પણ સંસારનાં સુખોને ક્ષણિક સમજો... માનો... અને એના પ્રત્યે વિરક્ત બનો.’
હે નાથ,
અમે પણ આપના જ માર્ગે ચાલીશું!'
રાજા-રાણીએ જ્યારે આ વાત જાણી, તેમણે પણ પુત્રની ઇચ્છાને પૂર્ણ કરવા અનુમતિ આપી.
નગરની બહારના ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાની ‘અમૃત-સાગર’ નામના મુનિરાજ પધારેલ છે. રાજકુમાર સાગરદત્ત તેમની પાસે જાય છે. ‘મને ચારિત્ર આપી ભવસાગરથી મારો ઉદ્ધાર કરો,’ એવી વિનંતી કરે છે.
સાગરદત્ત શ્રમણ બની જાય છે.
ગુરુચરણે સમર્પિત બની જાય છે.
આત્મભાવોની નિર્મળતા દિન-પ્રતિદિન વધતી જાય છે. એના પરિણામે એક દિવસ એ મહામુનિને ‘અવધિજ્ઞાન’ પ્રાપ્ત થાય છે.
વિચરતા વિચરતા તેઓ ‘વીતશોકા' નગરીમાં પહોંચે છે.
For Private And Personal Use Only