________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩0.
એક રાત અનેક વાત એ માટે એક જ ઉપાય છે, અને તે છે સ્વાધ્યાયમગ્નતા, જ્ઞાનમગ્નતા! દિવસ-રાતના આઠ પ્રહરમાં પાંચ પ્રહર જ્ઞાન-ધ્યાનમાં રહેવું જોઈએ. અશુભ વિચારોને મનમાં પેસવાનો માર્ગ જ ન મળવો જોઈએ. જ્ઞાન-ધ્યાન વિના મન સ્થિર ન રહે, શુદ્ધ ન રહે. આર્તધ્યાનમાં ચાલ્યું જાય... ને ક્યારેક સંયમજીવનને નુક્સાન કરે.
તમે નિશ્ચિત રહો, ભવદેવ મુનિને હું પોતે જ જ્ઞાનધ્યાનમાં જોડીશ. તેનું યોગક્ષેમ કરીશ. સંયમજીવનમાં સ્થિર કરીશ.”
પ્રભો, ભવોભવ આપ ગુરુદેવનું શરણ મળો.' ભવદત્ત મુનિએ આચાર્યદેવના ચરણે મસ્તક મૂકીને વંદના કરી.
For Private And Personal Use Only