SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ - એક રાત અનેક વાત “એમ નથી કહેતો, દીક્ષા લે તો શોભે સારો!' ગુરુદેવ ન સાંભળી જાય એ રીતે, કુતૂહલપ્રેમી સાધુઓ પરસ્પર વાતો કરે છે, ત્યાં ભવદત્ત મુનિએ ‘નિસહિ... નિસાહિ... નિસાહિ... નમો ખમાસમણાણું...” કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ગુરુદેવની પાસે જઈને “મહૂએણ વંદામિ' કહીને વંદના કરી. ગુરુદેવે, ભવદત્ત મુનિની પાસે ઊભેલા ભવદેવ સામે જોયું. પછી ભવદત્ત મુનિ સામે જોઈને પૂછ્યું : મહાનુભાવ, આ યુવક કોણ છે?” ગુરુદેવ, આ મારો લઘુ ભ્રાતા છે; તેને દીક્ષા આપીને ભવસાગરથી તારવાની કૃપા કરો.” ભવદેવ, ભવદત્તમુનિનાં વચનો સાંભળીને ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો. ત્યાં ગુરુદેવે એને પૂછ્યું : વત્સ, શું તું ગૃહવાસથી વિરક્ત બનીને ચારિત્રધર્મ અંગીકાર કરવા આવ્યો છે?' ભવદેવે ભવદત્તમુનિ સામે જોયું. એક ક્ષણ મનમાં વિચાર કરી લીધો. ભાઈ મુનિરાજ છે. તેમનું વચન જૂઠું ન પડવું જોઈએ.” તેણે ગુરુદેવને કહ્યું : સાચી વાત છે ગુરુદેવ; હું દીક્ષા લેવા આવ્યો છું.' ' ભવદેવના પ્રત્યુત્તરથી ભવદત્ત મુનિનું હૃદય આનંદથી છલકાઈ ઊડ્યું. તેમણે વિજયી મુદ્રાથી, ત્યાં ઊભેલા સાધુઓ સામે જોયું. સાધુઓ એક-બીજા સામે જોઈ અહોભાવ વ્યક્ત કરવા લાગ્યા. આચાર્યદેવે ભવદત્ત મુનિને કહ્યું: “મહાનુભાવ, તમારા લઘુ ભ્રાતાને વિધિવત્ દીક્ષા આપો. અત્યારનો સમય સારો છે.” ભવદેવને દીક્ષા આપવામાં આવી. ભવદેવ સાધુ બની ગયા... ભાઈમુનિરાજના વચનની ખાતર ભવદેવે ગૃહવાસ ત્યજી દીધો. નવોઢા પત્ની નાગિલાને ત્યજી દીધી. - પરંતુ આ વૈરાગ્ય વિનાનો ત્યાગ હતો. - ભાઈ-મુનિરાજ તરફના કર્તવ્યપાલનનો ત્યાગ હતો. - આ ત્યાગનો ભવદેવના હૃદય સાથે કોઈ સંબંધ ન હતો. ગુરુદેવે અન્ય સાધુઓને આજ્ઞા કરી : નૂતન મુનિને લઈને તમે અત્યારે જ અહીંથી વિહાર કરીને બીજા ગામે For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy