SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કરી દેવાની છે. અને સનિમિત્તોનું સેવન કરવારૂપ સ્વિચ પર આપણે આંગળી મૂકતા જ રહેવાનું છે. પ્રલોભનવશ કે પ્રમાદવશ ક્યારેક ત્યાંથી આંગળી ઊઠી પણ ગઈ હોય તોય વહેલામાં વહેલી તકે એ સ્વિચ પર આપણે આંગળી મૂકી દેવાની છે. જિનશાસનનો આ જ રાજમાર્ગ છે. અનંત તીર્થકર ભગવંતોએ આત્મહિતને અકબંધ કરી દેવા માગતા સાધકોને આ જ સંદેશ આપ્યો છે. “ખરાબ નિમિત્તોનું સેવન કરતા રહીને ય સારા બન્યા રહેશું” એવા ભ્રમમાં તમે રહેશો જ નહીં. સારાં નિમિત્તોનું સેવન તમને શીધ્ર સારા કદાચ નહીં પણ બનાવી દે પરંતુ ખરાબનિમિત્તોનું સેવન તમને ખરાબ બનાવી દેતાં પળની ય વાર નહીં લગાડે. માટે પહેલું કામ આ કરો. ખરાબ નિમિત્તોથી જાતને જેટલી દૂર રાખી શકાય એટલી રાખતા રહો. જવાબ આપો, આટલું કરવા તમે તૈયાર છો ખરા? નક્કી કરી દો. ગલત સ્થાનમાં જવું નથી. ગલત સાહિત્ય વાંચવું નથી. ગલતનો સંગ કરવો નથી. હું નથી માનતો કે આ ત્રણ બાબતમાં ચોક્કસ બની ગયા પછી ય પવિત્રતા ટકાવી રાખવામાં તમને ખાસ કોઈ તકલીફ પડે. સાંભળ્યો છે આ ટુચકો? સાવ સરળ છે ‘હું તો પૂરો કંટાળી ગયો છું' શેનાથી ?' ‘દારૂથી' ‘તો છોડી દે ને?” ‘વરસોથી પડેલ કુટેવ છોડી દેવી એકદમ સરળ તો નથી જ ને?” ‘સાચે જ તારે દારૂ છોડવો છે?” ‘હા. કારણ કે બંધ મૂઠીએ તું દારૂની બૉટલ ખોલી જ નથી શકવાનો ને? બૉટલ ખૂલ્યા વિના દારૂ પેટમાં પધરાવી જ શી રીતે શકીશ?' હા. આ જ વાસ્તવિકતા છે. ચિનગારીને જો લાકડા-પેટ્રોલ-ઘાસતેલ કે રૂ નથી મળતાં તો આપોઆપ એ જેમ બુઝાઈ જાય છે તેમ મનમાં સુષુપ્ત પડેલ કુસંસ્કારોને જો ગલત સ્થાન-સાહિત્ય કે સંગનાં કુનિમિત્તો આપવામાં નથી આવતા તો મનના એ ગલત કુસંસ્કારો આપોઆપ નિસ્તેજ યાવતું નષ્ટપ્રાયઃ થઈ જાય છે. એક બાબતનો ખ્યાલ છે? સજ્જનના આમંત્રણને ‘હા’ પાડવામાં જેટલી તાકાત જોઈએ છે એના કરતાં કે ગણી તાકાત દુર્જનનો આમંત્રણને ‘ના’ પાડવામાં જોઈએ છે. આનો અર્થ ? આ જ કે ધર્મસેવનની તકને ઝડપી લેવા માટે મન સાથે બહુ સંઘર્ષ કરવો પડતો નથી પરંતુ પાપસેવનના પ્રલોભનને ઠુકરાવી દેવા તો મન સાથે ભારે સંઘર્ષ કરવો જ પડે છે. આપણાં મનને આપણે તપાસી લેશું તો ય આ બાબતની આપણને બરાબર પ્રતી થઈ જ જશે. ઘરમાં પ્રભુને પધરાવવા મન તૈયાર છે પણ ઘરમાં રહેલ ટી.વી.ને કાઢી નાખવા મન સંમત નથી, સ્તુતિઓ બોલતા રહેવા મન સંમત છે પણ ગાળો બોલવાનું બંધ કરી દેવા મન તૈયાર નથી. શુભવિચારોમાં વ્યસ્ત રહેવામાં મનને કોઈ જ વાંધો નથી પણ અશુભ વિચારોને તિલાંજલિ આપી દેવાની બાબતમાં તો મન ઝૂકી જવા તૈયાર જ નથી. મનનું આ વલણ એટલું જ કહે છે કે શુભના સેવનનો આનંદ માણવા એ કદાચ તૈયાર થાય પણ છે તો ય અશુભના સેવનમાં આવતી મજા પર પૂર્ણવિરામ મૂકી દેવા એ હરગિજ તૈયાર નથી. અને એટલે જ પવિત્રતા ટકાવી રાખવા દ્વારા પ્રભુના પરિવારમાં સામેલ થઈ જવાનું કાર્ય આપણે માટે ભારે પડકારરૂપ છે. છતાં, ભૂતકાળના અનંત જન્મોના વિષયજન્ય સુખોના દુઃખદ અનુભવો અત્યારે આપણા સ્મૃતિપથ પર ન પણ હોય તો ય વર્તમાન જીવનનાં વિષયજન્ય સુખોના દુઃખદ અનુભવો તો આપણા સ્મૃતિપથ પર છે ને? સાપ જાય છે અને એ જેમ પોતાના લિસોટા છોડતો જાય છે તેમ ઇન્દ્રિયના દરેક વિષયોએ એના સેવનકાળે કદાચ અનુભવ સુખનો કરાવ્યો પણ છે તો ય એના સેવન પછીના કાળમાં એ વિષાદ, ઉદ્વેગ, ગ્લાનિ, અતૃપ્તિ વગેરે સંખ્યાબંધ માનસિક પરિતાપો મૂકતા જ ગયા છે. આ અનુભવો પરથી બોધપાઠ લઈને આપણે હવે એ જ રસ્તા પર આગળ વધવા ‘એ કામ કરે. જ્યારે પણ દારૂ પીવાનું મન થાય ત્યારે તું તારા બંને હાથની મૂઠી વાળી દે. * ‘એનાથી શું થશે?” ‘દારૂ છૂટી જશે' ‘મૂઠી વાળવાથી ?” ૭૫
SR No.008890
Book TitleAma Apne Kya
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy