SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ બાર પ્રકારની હિંસાઓ દરેક ડૉક્ટરે સૌ પ્રથમ તો ગ્રાહકો સાથે વિનય-વિવેકથી વર્તન કરવું જોઈએ. હસી-ખુશીની વાત કરવી જોઈએ. કારણ કે ડૉક્ટરો પાસે જતા દર્દી (ગ્રાહકોનો પચાસ ટકા રોગ તેના સ્વભાવને કારણે જ ઓછો થઈ જવો જોઈએ. એ જ ખરો ડૉક્ટર કહેવાય, નહીં કે ઘરે બેરી સાથે ઝઘડો કરીને આવ્યો હોય તેનો બદલો ગ્રાહકો ઉપર વાળતો ડૉક્ટર. એટલે હંમેશાં ગ્રાહકોએ ગુલાબી મિજાજવાળા ડૉક્ટરો પકડવા જોઈએ. આ વસ્તુને આપણે જશ રેખાવાળા ડૉક્ટર છે તે રીતે ખપાવીએ છીએ પરંતુ ખરેખર તો તેનો સ્વભાવ દર્દી (ગ્રાહક) ઉપર ઘણી અસર કરે છે. અત્યારે ગ્રાહકોનું શોષણ કરીને પૈસાદાર બનવાના કોડ સાથે ડીગ્રી લઈને બહાર નીકળતા ડૉક્ટરોની એક રીંગ હોય છે, જેને પોતાના સ્વાર્થ સિવાય આ ધંધામાં બીજો કોઈ સેવાકીય આશય હોતો નથી. તેઓ એક લેબોરેટરી ટેસ્ટીંગ, એક એક્ષ-રે ક્લીનીક, એક કાર્ડિયોલોજીસ્ટની રીંગ બનાવેલી હોય છે. જેમાં એકબીજાનાં કમિશનો ચાલતાં હોય છે. જે એકની પાસેથી બીજાના પાસે મોકલે છે. આમ ફુટબોલની જેમ ગ્રાહક અહીંથી તહીં ભટક્યા કરે છે. બીજો તબક્કો સ્પેશિયાલિસ્ટનો આવે છે. જેઓ પણ એકબીજા સાથે આ જ રીતે સંકળાયેલા હોય છે અને કમિશન સાથે એકબીજા પાસે મોકલે છે. વળી જે દવાનાં પ્રિસ્ક્રીપ્શન લખવામાં આવે છે તેમાં જ દવાઓ લખાય છે તે નવી કંપનીની ઓછી સ્ટાન્ડર્ડવાળી લખાય છે. કારણ કે દવા કંપનીઓ ૨૫૦૦૦ દવાની જગ્યાએ અત્યારે ૩૦,૦૦૦ દવાઓ બનાવે છે. જેના કારણે ગ્રાહકોને આમાં પણ ડૉક્ટરો અને દવાની દુકાનવાળાની રીંગનો ભોગ બનવું પડે છે. જે મહિના પછી પોતાના હિસાબો કરીને ગ્રાહકોને એક રોગમાંથી બીજા રોગની ગર્તામાં ધકેલી દે છે. દવાઓનાં અત્યારે ખૂબ જ રિએક્શનો આવે છે. પોતાની રીતે પૂરતા ચૂસી લીધા પછી દર્દીઓને મુંબઈ અને અમદાવાદ ધકેલવામાં આવે છે “અમારાથી સારું નહી થાય.” આ જ રીતે મુંબઈ ને અમદાવાદમાં પણ પોતાના જાણીતા સર્જનો પાસે મોકલીને કમિશનો લેવામાં આવે છે. ફરીથી ત્યાં આગળ પણ ચેનલની ઉપરની વાત કરી તે જ.... લેબોરેટરીથી માંડીને કાર્ડિઓલોજીસ્ટ સુધીની આવે છે. ખરેખર અહીં ડૉક્ટરો પાસે દર્દી આવે છે ત્યારે જ ડૉક્ટરને ખબર હોય છે કે દર્દીને મારાથી સારું થાય એમ નથી, આમ છતાં બને તેટલો ગ્રાહકને આ સેવાનો ઠેકો રાખીને આ સફેદ ઠગ લૂંટે છે.
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy