SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ કોઈ જગ્યાએ રેખા દોરવી જ પડશે, અમુક કડક નિયંત્રણો મૂકવાં જ પડશે. ઘણા માનવીઓ પોતાના જીવતાં જ પોતાના શરીરનું તબીબી સંશોધન ખાતર દાન કરી દે છે તો કેટલાક લોકો આંખનું કે કિડનીનું દાન કરે છે. આજે રક્તદાનનો મહિમા પણ ચોતરફ જોવા મળે છે, પરંતુ તેનાં ભયસ્થાનોની બહુ ઓછા લોકોને ખબર હોય છે. ઘણા ગરીબો પોતાના જીવનનિર્વાહ માટે પોતાનું લોહી રીતસર વેચે છે. આમાંના બધા જ રક્તદાતાઓ કાંઈ સેવાધારી નથી હોતા કે બધા જ કાંઈ એકદમ તંદુરસ્ત નથી હોતા. ઘણા રક્તદાતાઓ રોગિષ્ઠ પણ હોય છે. આવા લોકોનું લોહી બીજી વ્યક્તિના શરીરમાં જ્યારે પ્રવેશે છે ત્યારે પેલા રોગિષ્ઠ રક્તદાતાનાં રોગિષ્ઠ જંતુઓ લોહી લેનારી વ્યક્તિઓનાં શરીરમાં પ્રવેશે છે. કેટલાક લોકો માનસિક બીમારીથી પીડાતા હોય છે, કેટલાક અતિશય ક્રોધી, શરાબી અને અનેક પ્રકારના વ્યસનના આદી પણ હોય છે. આ બધાનું લોહી જ્યારે બીજી વ્યક્તિના શરીરમાં દાનરૂપે પ્રવેશે છે ત્યારે ઉપરનાં તમામ લક્ષણો પણ ધીમે ધીમે લોહી લેનારી વ્યક્તિના શરીરમાં દેખાવા માંડે છે. આ તો થઈ રક્તદાનની વાત અને તેનાં ભયસ્થાન, પણ કેટલીક વખત માનવીના શરીરનાં અંગોને બીજી વ્યક્તિઓના શરીરમાં રોપવામાં પણ કેટલાંક ભયસ્થાનો હોય છે. જાણવા જેવી એક બીજી વાત મૃત્યુ પામેલી વ્યક્તિના શરીરમાંથી પણ કેટલાંક અંગોને કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં રોપી શકાય છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તે પછી ચોક્કસ સમય સુધી તેના શરીરમાં ચેતના હોય છે, એટલે કે શરીરના અંગોનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ મૃત્યુ પામેલી વ્યક્તિનાં કાયદેસરનાં સગાંઓની સંમતિથી તેનાં અંગો લઈ શકાય છે. જેવી રીતે જુદા જુદા પ્રકારનું લોહી મેળવવા માટે બ્લડબેંક હોય છે તેમ આજે તો પરદેશમાં આય બેંક, ઈયર બેંક વગેરે અંગોની બેંક હોય છે. અહીં એક ચોંકાવનારા કિસ્સાની વાત કરીએ; વિલિયમ્સ હોફમેન નામના એક પતિએ થોડાં વર્ષ પહેલાં એવો આક્ષેપ કર્યો હતો કે મારી પત્ની મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી ત્યાર પછી સતત વીસ કલાક સુધી જીવતી રહી હતી. આનો અર્થ એવો થયો કે વિલિયમ્સની પત્ની મૃત્યુ પામી છે તેવી ખોટી જાહેરાત કરવામાં આવી હતી. વિલિયમ્સ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આવી ખોટી જાહેરાત ડૉક્ટરોએ એટલા માટે કરી હતી કે તેઓ મારી પત્નીના સજીવન શરીરમાંથી કેટલાંક
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy