SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૭૯ હજાર ડૉલરનું દાન આપ્યું હતું. આ બનાવ ૧૯૮૭માં બન્યો હતો. ૧૯૮૬ના સપ્ટેમ્બર મહિનામાં બ્રિટનમાં ડૉ. યાકુબે લંડન ખાતે દર્દીઓના શરીરમાં બે ફેફસાં ઓપરેશન કરીને રોપ્યાં હતાં. આ જ ડૉ. યાકુબે એક વખત એક દર્દીના શરીરમાં ફેફસાંની સાથે હૃદયનું પણ રોપણ કર્યું હતું. આ ત્રણ દર્દીઓમાં એક મહિલા, એક પુરુષ અને એક નાનકડા છોકરાનો સમાવેશ થતો હતો. ૧૯૮૭માં ડૉ. રિચાર્ડ, સુસાન લાઝાર્ચિક નામની એક ગૃહિણીના ઘૂંટણમાં ૧૮ વરસની ઉંમરના એક યુવાનનું હાડકું ખૂબ જ આશ્ચર્યકારક રીતે અને સફળતાપૂર્વક ગોઠવી દીધું હતું. માણસના શરીરનો કોઈ ભાગ બીજા કોઈ માણસના શરીરમાં રોપી શકાય છે અને આ વાતનું હવે વિજ્ઞાનીઓને કે લોકોને જરાય આશ્ચર્ય નથી રહ્યું, પરંતુ લંડનના ડૉ. મિચેલ બેવિકે હજી ગયા વરસે જ પૂરા વિશ્વાસ સાથે કહ્યું હતું કે માનવીના શરીરમાં હવે ભૂંડ (ડુક્કર)નું હૃદય અને કિડની (મૂત્રપિંડ) રોપી શકાશે, તે દિવસો બહુ દૂર નથી. આવાં સફળ ઓપરેશનને કારણે હજારો લોકોના જીવ બચાવી શકાશે. ઉપરનાં તમામ ઉદાહરણો આપણને જણાવે છે કે વિજ્ઞાન કેટલી હદે આગળ વધ્યું છે અને તે શું શું કરી શકે છે. વિજ્ઞાનીઓએ કુદરત ઉપર વિજય મેળવવાના પ્રયાસો અને પ્રયોગો જોશભેર આદરી દીધા છે અને ઘણા અંશે તેને તેમાં સફળતા મળી છે. ફક્ત એક જ બાબતમાં વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ હાથ ઘસતા રહી જાય છે અને તે એ કે માનવીના શરીરમાંથી જ્યારે પ્રાણતત્ત્વ જતું રહે છે ત્યારે તેનું મૃત્યુ થાય છે, તે પ્રાણતત્ત્વનો આકાર, રંગ કે તે કેવું છે તે વિજ્ઞાનીઓ પકડી શકતા નથી. મરણપથારીએ પડેલા માનવીના શરીરમાંથી કોઈ ઘડીએ બહાર નીકળી જતા આ પ્રાણતત્ત્વ વિશે જાણકારી મેળવવા દુનિયાભરના વિજ્ઞાનીઓએ અથાગ પ્રયાસો કર્યા છે, પરંતુ તેમાં તેઓને પૂરતી સફળતા મળી નથી. વિજ્ઞાને શબ્દોમાં ન વર્ણવી શકાય તેટલી હદે પ્રગતિ કરી છે, પરંતુ તે જેમ આશીર્વાદરૂપ બને છે તેમ અભિશાપરૂપ પણ બની શકે છે. એક માનવીના શરીરનાં અંગઉપાંગો બીજા કોઈ માનવીના શરીરમાં રોપી શકાય છે તે વાત શરૂઆતમાં ઘણા દર્દીઓ માટે કે માનવજાત માટે આશીર્વાદરૂપ બની હતી, પરંતુ માનવીની બુદ્ધિ જ્યારે વેપારી સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કોઈ પણ સારી વાતનું નિકંદન નીકળી જાય છે. અખબારોના પાને આપણે અવારનવાર એવા અહેવાલો વાંચીએ છીએ કે અમુક
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy