SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ટકા તો પ્રદૂષણરૂપે ફેલાઈ જાય છે ને બીજે બીજી બીજી અસર કરે છે. આ વૈજ્ઞાનિકોની આ શોધ જંતુનાશક દવાઓ વિશે જે માયાજાળ ફેલાવવામાં આવી છે તેને ખુલ્લી કરે છે. અને સાબિત કરે છે કે આ કહેવાતી જંતુનાશક દવા ખરેખર તો ૯૯ ટકા પ્રત્યક્ષ કે પરોક્ષપણે માનવનાશક જ છે. પાર્ટમેંટલ અને એડવાડના કહેવા પ્રમાણે જંતુનાશકનાં પ્રદૂષક તત્ત્વો ખાદ્ય વસ્તુઓમાં ગળી જઈને આનુવંશિક વિવિધતા (જીનેટિક ટાઈવર્સિટી)નો નાશ કરે છે. જીવોના પ્રાકૃતિક ગુણ ધર્મોમાં વિકૃતિ પેદા કરે છે. એટલું જ નહિ આપણા મિત્ર અને શત્રુ બંને પ્રકારના કીટકો પર સમાનરૂપે અસર કરે છે. એના છંટકાવથી શરૂઆતમાં તો કીટકોનો નાશ થાય છે, પણ પછીથી હાનિકારક કીટકોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. એકવાર દવાની અસર સહન કર્યા પછી કીટકો વધુ નુકસાનકારક બની જાય છે. એક વાર ખાદ્ય વસ્તુઓમાં પ્રવેશ કર્યા પછી આ જંતુનાશકો માણસને પણ ઝપટમાં લઈ જ લે છે. તેલીબિયાં, અનાજ, શાકભાજી, ફળફળાદિ, દારૂ, દૂધ, માંસ, માછલી ને ઇંડાં વગેરેના માધ્યમથી એ મોટા માણસને અસર કરે છે. શાકાહારી કરતાં માંસાહારી ભોજનમાં એનું પ્રમાણ ૧૦ થી ૨૪ ટકા વધારે છે. ઓર્ગેનોક્લોરિન નામની જંતુનાશક દવા શરીરમાં પ્રવેશીને ચરબીમાં જમા થાય છે. ૧૦-૧૫ વરસ સુધી પણ એની અસર વર્તાવા માંડે છે. દમ, હૃદયરોગ, જીવ ગુંગળાવો, ઊલટી થવી, દુઃખવું, શરીર કાળું પડી જવું કે ફિક્કુ થઈ જવું, ધૂનીપણું, ગાંડપણ, વાંઝિયાપણું, ગભરાટ થવો, શરીરની ગરમી વધી જવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંધળાપણું, ઉત્તેજના, આંખ પહોળી થઈ જવી વગેરે લક્ષણો દેખા દે છે. આ રસાયણ માનવસંતતિ પણ બદલી શકે અને ગર્ભમાંના બાળકને વિકલાંગ પણ બનાવી શકે. જંતુનાશક દવાનો છંટકાવ કરનાર મજૂરને, ખેડૂતને કે સરકારી કર્મચારીને જ અસર કરે તેવું નથી, જીવમાત્રને અસર કરે છે. કુદરતની આખી જૈવિક પ્રક્રિયાને જ છિન્નભિન્ન કરી નાખે એ રીતે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. વિકાસના પંથ પર ચાલતી વિનાશની આ આંધળી દોટમાં આપણે એવી ગતિ પકડી લીધી છે કે આપણી ધરતી જ આપણા પગ તળેથી ખસતી જાય છે. જે કૃષિ-જગત આખી માનવજાતને જિવાડે છે એની ઉપર જ આપણે આ ઝેરનો છંટકાવ કરી રહ્યા છીએ. વિચારવાનું એ છે કે માણસ છેલ્લાં ૧૦,૦૦૦ વરસથી ખેતી કરતો આવ્યો
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy