SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૪૧ દેશની માંસાહારી પ્રજાને તો આવો બોધપાઠ આપવાની જરૂર જ ન હોય, એટલે સ્વાભાવિક છે કે પ્રચારની આ પડઘમ દ્વારા શાકાહારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. - ઈંડાં શાકાહાર ગણાય કે માંસાહારી એની ચર્ચા આપણે પછી કરીશું. મુખ્ય પ્રશ્ન એ છે કે શું ઈંડું સંપૂર્ણ ખોરાક છે? અને તેનાથી શરીરમાં બહુ તાકાત આવે છે એ વાત સાચી છે? શું તેનાથી માત્ર લાભ જ થાય છે અને કોઈ નુકસાન થતું જ નથી? ઈંડાંમાંથી જે પોષણ મળે છે તે કોઈ શાક, ફળ, અનાજ કે કઠોળમાંથી નથી મળતું? જ્યારે કોઈ વસ્તુના ગુણોની બાંગ પોકારવામાં આવતી હોય ત્યારે તેના અવગુણોથી પણ પ્રજાને સાવચેત કરવી જોઈએ, ઈડાંનો પ્રચાર કરનારાઓ એકપક્ષી રજૂઆત કરી બેઈમાની કરી રહ્યા છે. પોતાનો ધંધો જમાવવા તેઓ લોકોની આંખમાં ધૂળ નાંખે છે. એટલે સુધી કે ઈંડાં ન ખાનારા લોકોને તેઓ પછાત અને અવૈજ્ઞાનિક ગણાવે છે. ઈંડાંનો પ્રચાર કરવા માટે તેઓ ડૉક્ટરોના અભિપ્રાયો પણ ટાંકે છે. એમ કહેવાય છે કે ઈંડાંનો ૬૫ ટકા ભાગ પચાવીને શરીર ગ્રહણ કરી લે છે પરંતુ હકીકત કંઈક અલગ છે. નોબેલ પારિતોષિકવિજેતા હૃદયરોગના નિષ્ણાતો પ્રોફેસર માઈકલ એસ. બ્રાઉન અને જોયફ એલ. ગોલ્ડસ્ટીનનો સ્પષ્ટ અભિપ્રાય છે કે હૃદયરોગના હુમલાનું મુખ્ય કારણ ઈંડાંનો આહાર છે. ઇંડાંમાં કોલેસ્ટરોલ પ્રચુર માત્રામાં છે, જે હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગનું કારણ છે. આટલું ઓછું હોય તેમ કોલેસ્ટરોલનો નિકાલ કરવાની શરીરની શક્તિ ઈંડાંનાં આહારથી ઘટે છે. સર્વેની પીપૂડી વગાડનારા લોકોએ આલતુફાલતુ ડૉક્ટરોના અભિપ્રાયની સાથે આ નોબેલ પારિતોષિકવિજેતા તબીબોના અભિપ્રાય પણ ટાંકવા જોઈએ. જાહેરખબરોમાં ઈંડાની પ્રશસ્તિ પૂર્ણ આહાર તરીકે કરવામાં આવે છે. મૂરતિયો ભલે કાણો, કૂબડો અને બાઘો હોય, તેની મા તો વખાણ જ કરવાની. ઈંડાંનું પણ આવું જ છે. તેમાં એકાદ વિટામિન સિવાય બાકીનાં જીવનતત્ત્વોનો સર્વથા અભાવ છે. દાખલા તરીકે, તેમાં વિટામીન સી જરાય નથી. કાર્બોહાઈડ્રેડ અને કેલ્શિયમ જેવા પદાર્થો વગર કોઈ ખોરાક પૂર્ણ ન ગણાય. આ બંનેનું ઈંડાંમાં નામોનિશાન નથી. તેમાં જે વિટામિન બી-૧, બી-૨ અને બી-૧૨ના અંશો હોય છે તે તેની રાંધવાની પ્રક્રિયામાં બળી જાય છે. બ્રાઉન અને ગોલ્ડસ્ટીને વર્ષોના અનુભવ અને પ્રયોગો પછી એક સત્ય તારવ્યું હતું કે શાકાહારીઓની સરખામણીએ માંસાહારીઓમાં હૃદયના, કિડનીના અને લોહીના દબાણનો રોગો વધુ થાય છે અને તેનું કારણ ઇંડાંનો આહાર તેમ જ માંસાહાર છે.
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy