________________
બાર પ્રકારની હિંસાઓ
૧૦૯
એટલે ઈન્ડિયા નામના રાષ્ટ્રનું હિત, તેની આબાદી અને સમૃદ્ધિની રક્ષા કરવાનો કોઈ સવાલ પેદા થતો નથી. તે રક્ષિત છે, આબાદ છે; વધુ ને વધુ સમૃદ્ધ બનતું
જાય છે.
જે રક્ષા કરવાની વસ્તુ છે તે આ દેશની મહાન્ આર્યપ્રજા છે; અને તેની જીવાદોરી સમી સંસ્કૃતિ છે. આ બેયનો ભોગ લઈને, આ બેયને બરબાદ કરીને ઈન્ડિયા દેશને આબાદ કરાવાઈ રહ્યો છે. પ્રજા અને સંસ્કૃતિની બરબાદીનો વિચાર આપણે આગળ ઉપર કરશું.
અહીં આટલું સ્પષ્ટ કરીને હું એનો એ નિચોડ રજૂ કરું છું કે રાષ્ટ્રની હત્યાનો અર્થ અખંડ હિન્દુસ્તાનની હત્યા કરવાનો છે. એ હત્યા કેવી રીતે થઈ છે! તેની આપણે જાણકારી મેળવીએ; જેથી ઓક્સીજન ઉપર રહેલા તે રાષ્ટ્રને જિવાડી દેવાના માર્ગે ચાલવાની આપણને સમજ પડે.
છેલ્લાં એક હજાર વર્ષોથી આ રાષ્ટ્ર (અખંડ હિંદુસ્તાન)ની સ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી આવી છે. એમાં શરૂના લગભગ ૫૦૦-૬૦૦ વર્ષોમાં ઈસ્લામે બરબાદી કરી છે. પછીનાં ૪૦૦-૫૦૦ વર્ષોમાં અંગ્રેજોએ બરબાદી કરી છે. છેલ્લા એકસો વર્ષોમાં દેશી-અંગ્રેજોએ ભયાનક ખાનાખરાબી કરી છે.
પૃથ્વીરાજ ચૌહાણના સમયનું ભારત “આબાદ' હતું. પરંતુ સંયુક્તાના પ્રેમપાશમાં ભાન ભૂલેલો પૃથ્વીરાજ શાહબુદ્દીન ઘોરીના વિદેશી આક્રમણ સામે ટકી ન શક્યો. બસ.... અહીંથી મુખ્યત્વે વિદેશી સત્તાનો પગપેસારો થયો. ઠેઠ બાબર
સુધી.
તેણે ભારતના ચક્રવર્તી રાજા જેવા મહાપ્રતાપી મેવાડના મહારાણા સાંગા સાથે યુદ્ધ કર્યું. એ વખતે અંગ્રેજો એ આ દેશમાં યુદ્ધના સ્તરથી પગપેસારો કરી દીધો. તેમણે રાણાની સામે ડવા માટે તોપો આપી. બાબર વિજયી નીવડ્યો.
ભારતની પ્રજાની બે જ મોટી ખામી હતી. ભોળપણ અને વિશ્વાસઘાત. જ્યારે જ્યારે તેને પરાજય મળ્યો છે ત્યારે આ જ કારણોએ ભાગ ભજવ્યો છે.
જ્યારે ભારતના રાજવીઓ ‘એક’ બનીને વિદેશી આક્રમકોની સામે ઊભા રહ્યા છે ત્યારે કોઈની તાકાત ન હતી કે તેઓ ભારતમાં પ્રવેશીને કાયમ માટે પગદંડો જમાવી શક્યા હોય.
વિદેશીઓએ ભારતીય પ્રજાની આ નબળી કડીનો કેટલીય વાર પૂરેપૂરો ઉપયોગ કર્યો છે!