________________
Collateral de las labbodottlobo
માર્ગ પર ચાલતા જ રહો મનનો એક અતિ વિચિત્ર સ્વભાવ ખ્યાલમાં છે ? એ મંજિલથી પ્રભાવિત થઈ જાય છે પરંતુ માર્ગ પર લક્ષ આપવા આ એ તૈયાર થતું નથી. કાર્ય પ્રત્યે આકર્ષિત થઈ જવું એને સહજ
છે પરંતુ કારણ પ્રત્યે એ ઉદાસીન જ રહે છે. પરિણામ પાછળ * એ પાગલ છે તો પ્રક્રિયા પ્રત્યે એ એટલું જ ઉદાસીન છે.
શું ઠેકાણું પડે આ મનોવૃત્તિથી ? મંજિલ આખરે તો માર્ગને જ બંધાયેલી છે. કાર્ય આખરે તો કારણને જ આધીન છે. પરિણામનો નિર્ણય આખરે તો પ્રક્રિયા જ કરે છે. - તત્ત્વાર્થસૂત્ર ભણ્યા છો? એનો પ્રથમ અધ્યાય ‘માર્ગ'નો છે જ્યારે અંતિમ અધ્યાય “મંજિલ નો છે. આ વાસ્તવિકતા
એટલું જ કહે છે કે માર્ગ પર ચાલતા જ રહો. મંજિલ આવીને જ 6 રહેશે. બાકી કેવળ ‘મંજિલ'નું જ ધ્યાન ધરતા રહીને માર્ગ પર
ચાલવાની બાબતમાં ઉપેક્ષા જ સેવશો તો અનંતકાળે પણ મંજિલે પહોંચી નહીં શકાય. આવો, ભલે ધીમી પણ મક્કમ ગતિએ માર્ગ પર ચાલતા જ રહીએ. મંજિલ પહોંચી જ જશું.
ologs/ze_c3Jી
કરશું શું ? દૂધપાક મળે નહીં અને રોટલી જામે નહીં એ ભૂખ્યા માણસનું ફળ છે થાય શું? બંગલો મળે નહીં અને ઝૂંપડું જામે નહીં એ દરિદ્ર માણસનું – છે થાય શું ? ગાડી મળે નહીં અને સાઇકલ જામે નહીં એ થાકેલા રે ? માણસનું થાય શું? અરે, સીમંધરસ્વામી મળે નહીં અને મહાવીર : રે સ્વામી જામે નહીં એ ભક્તનું થાય શું?
હા. સંયમજીવન છે આપણી પાસે. ગુરુદેવની નિશ્રામાં છીએ કે આપણે એ તો બરાબર છે પણ એ ગુરુદેવ છદ્મસ્થ છે. એમનામાં - છે રહેલા દોષો આપણને દેખાય પણ છે. એ દોષો આપણને ' હું અનુભવાય પણ છે અને એટલે જ એ ગુરુદેવ આપણને જોઈએ છે છે તેવા જામતા નથી.
પણ સબૂર !
ભૂતકાળના ગુરુ ગમે તેટલા સારા હોય, આપણને મળવાના 3 નથી અને અત્યારે આપણને જે ગુરુ મળ્યા છે એ જો આપણને છે' કે જામતા નથી તો આપણું થશે શું? < યાદ રાખો, ગુરુ સારા મળવા જોઈએ એ વાત આપણે પકડી - રાખશું પણ ગુરુ સારા લાગવા જોઈએ એ વાત આપણે ભૂલી જશે તો આપણે સંયમજીવન હારી જઈશું.
જ જૂળw/
Qclas/\_/\_/co/zJ_GJ0Joscscss/css/\cio
୨୧୬୧୬୧୬୧୬୧୬୧୬୧