SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ જ કરવા વ્યભિચાર-શંકારૂપ વિપક્ષનો બાધક તર્ક ઊભો કરવો પડે છે, જેમકે કોઈને શંકા જ પડે કે વહ્નિ ન હોય ત્યાં પણ ધૂમ રહે છે, અર્થાત્ વહ્નિવિરહ પણ ધૂમ હોઈ શકે છે. પર આવી આશંકાના નિવર્તન માટે વદ્વિ-ધૂમના કાર્ય-કારણભાવ રૂપ તર્ક મૂકવો જરૂરી છે. જે વદ્વિ-ધૂમના કાર્ય-કારણભાવથી તે આશંકા દૂર થઈ જશે. यद्ययं वह्निमान् न स्यात् तदा धूमवानपि न स्यात् । यदि धूमो वह्निव्यभिचारी स्यात् तर्हि वह्निजन्योऽपि न स्यात् । અર્થાત્ વદ્વિ-ધૂમના કાર્ય-કારણભાવનો જ ભંગ થઈ જાય, અર્થાત્ કારણ વિના જ જ કાર્યની અનુત્પત્તિ જ હોય. એટલે જો વહિમાનું ન હોય તો ધૂમવાનું પણ ન જ હોય. એ શકાકાર : પણ કારણ વિના ય કાર્ય થાય છે તેમ માનવામાં શું વાંધો છે ? . નિયાયિક : કારણ વિના પણ જો કાર્ય થતું હોય તો તે કાર્ય અહેતુક બની જાય. આમ પ્રથમ શંકા કાર્ય-કારણભંગના તર્કથી દૂર કરવી. પણ જો આ તર્કમાં પણ જ શંકા પડે કે કારણ વિના શું કાર્યની અનુત્પત્તિ જ રહે? તો તેના નિવર્તન માટે પોતાની જા આ ક્રિયાનો વ્યાઘાત બતાવવો. તે આ પ્રમાણે : જો કારણ વિના પણ કાર્ય થઈ શકતું હોય છે છે તો ધૂમ માટે વહ્નિ ગ્રહણ કરવાની અને તૃપ્તિ માટે ભોજન ગ્રહણ કરવાની આવશ્યકતા છે નહીં રહે. પણ તૃપ્તિ માટે ભોજનનું અને ધૂમ માટે વહ્નિનું તો નિયત ઉપાદાનપણું છે . છે જ, તેથી તેનો વ્યાઘાત ન થાય તે માટે પણ કારણ વિના કાર્યની ઉત્પત્તિ મનાય નહીં. આ આમ કાર્ય-કારણભાવ-ભંગના તર્કથી કે છેલ્લે વ્યાઘાત-તર્કથી વ્યભિચારની શંકાનું નિવર્તન કરી શકાય છે. પરંતુ જ્યાં વ્યભિચારની શંકા જ નથી પડતી ત્યાં તો તર્કની જ અપેક્ષા પણ રહેતી નથી. જેમકે પ્રતિકૂપવાન હતાત્પ ર્વતો દક્ષિાનું પ્રતિકૂમતા આમ તમામ વ્યાપ્તિજ્ઞાન પ્રત્યે તર્કની જરૂર ન હોવાથી તર્કને વ્યાપ્તિજ્ઞાનનું કારણ એ મનાતું નથી, પણ જ્યારે વ્યભિચારની શંકા પડે ત્યારે તેના નિવર્તન માટે તેનો ઉપયોગ થાય છે, તેથી તેને “ક્વચિત્ શંકાનિવર્તક' કહ્યું છે. નૈયાયિકોએ અહીં એવું દૃષ્ટાંત આપ્યું કે જ્યાં એક જ વ્યક્તિ (પત) લેવાથી એ મલ ભૂયોદર્શન થાય જ નહીં. પાશ્ચાત્યો તો એમ માને છે કે જ્યાં ભૂયોદર્શન થઈ શકતું ન હોય ત્યાં પણ એકના દર્શને તેમાં શંકા ન થાય, અર્થાત્ અનેક વ્યક્તિ સ્થળે પણ એકના છે એ જ દર્શને પણ શંકા ઉપસ્થિત ન થાય. જેમ આ માણસ પોતાની કાંધ ઉપર બેસી શકતો ન જ નથી તો કોઈપણ માણસ પોતાની કાંધ ઉપર બેસી શકે નહીં. અહીં અનેક વ્યક્તિ હોવાથી જ છતાં એક વ્યક્તિના દર્શનમાં પણ નિર્ણય થઈ જાય છે. તે જ રીતે બે ને બે મળતાં જો ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧) કોઈ જ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy