________________
એવા અન્યોન્યાભાવને માનવો જ જોઈએ. તેથી અન્યોન્યાભાવ અને પૃથ ભિન્ન પદાર્થ છે તેમ સિદ્ધ થાય છે.
मुक्तावली : ननु शब्दवैलक्षण्यमेव न त्वर्थवैलक्षण्यमिति चेत् ? न, विनार्थभेदं घटात्पृथगितिवद् घटो न पट इत्यत्रापि पञ्चमीप्रसङ्गात् । तस्माद्यदर्थयोगे पञ्चमी सोऽर्थो नञर्थान्योन्याभावतो भिन्नो गुणान्तरं कल्प्यत इति ॥
મુક્તાવલી : શંકાકાર : અરે, આ તો શબ્દોની વિલક્ષણતા છે પણ અર્થમાં તો કોઈ જ વિલક્ષણતા નથી. ‘ઘટ પટથી જુદો છે, અને ઘટ પટ નથી’ ‘ઘટ: પટાત્ પૃથ અને ઘટો ન પટ:' તે બે વાક્યોમાં માત્ર શબ્દો જ જુદા જુદા છે પણ બંનેનું કહેવાનું તાત્પર્ય તો એ જ છે કે ઘટ અને પટ એક નથી. આમ બંનેના અર્થ સમાન હોવાથી પૃથની પ્રતીતિ અને અન્યોન્યાભાવની પ્રતીતિને જુદી જુદી માનવાની જરૂર નથી. તેથી પૃથ અને અન્યોન્યાભાવને ભિન્ન પદાર્થો માનવાના બદલે એક જ માનવા જોઈએ.
નૈયાયિક : માત્ર શબ્દવૈલક્ષણ્ય નહીં પણ અર્થવૈલક્ષણ્ય પણ અહીં છે જ. જો અર્થવૈલક્ષણ્ય પણ અહીં ન હોત તો ‘અયં : અસ્માત્ પન્ પૃથ' સ્થળમાં પટને પંચમી વિભક્તિ થાય છે અને ‘અન્ય ઘટઃ પો ન' સ્થળે પટને પ્રથમા વિભક્તિ થાય છે તેનું શું કારણ ?
જો બંને અર્થથી વિલક્ષણ ન હોત તો અયં ૫૮: પઢે ન સ્થાને પણ ‘અયં ઘટ: પાત્ ન' કહેવા દ્વારા પટને પણ પંચમી વિભક્તિ કરવાની આપત્તિ આવશે. પણ તેવું તો થતું જ નથી. ‘પટો ન પટઃ ' માં પ્રથમા વિભક્તિ જ થાય છે પણ પંચમી થતી નથી તે જણાવે અને અન્યોન્યાભાવ ભિન્ન જ છે.
છે કે પૃથ
તેથી જેના અર્થના યોગમાં પંચમી વિભક્તિ થતી હોય તેને નગ્ અન્યોન્યાભાવના અર્થથી ભિન્ન માનવું જોઈએ, કેમકે નમ્ કે અન્યોન્યાભાવના અર્થમાં તો પ્રથમા વિભક્તિ જ થાય છે. તેથી જેના અર્થના યોગમાં પંચમી
વિભક્તિ થાય છે તેને અન્યોન્યાભાવથી ભિન્ન પૃથ આમ સિદ્ધ થાય છે કે અન્યોન્યાભાવ અને પૃથ પદાર્થો છે.
માનવું જોઈએ . બંને એકબીજાથી ભિન્ન
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૬૬)