________________
मुक्तावली : नीलो घट इत्यादौ नामार्थयोरभेदसम्बन्धेनान्वयाद् भेदेनेति । न च राजपुरुष इत्यादौ लुप्तविभक्तेः स्मरणं कल्प्यमिति वाच्यम्, अस्मृतविभक्तेरपि ततो बोधोदयात् । तस्माद्राजपदादौ राजसम्बन्धिनि लक्षणा, च पुरुषेण सहाभेदान्वयः ।
तस्य
મુક્તાવલી : મીમાંસક : ‘ભેદેન અન્વય ન થાય' એમ કેમ કહ્યું ? ‘અન્વય જ ન થાય' એમ કેમ ન કહ્યું ? અર્થાત્ નિપાતાતિરિક્ત નામાર્થનો સાક્ષાત્ સંબંધથી અન્વય ન થાય એમ જ કહો ને ?
નૈયાયિક : નીતો ઘટઃ સ્થાને નીલ અને ઘટ એ બે નિપાતાતિરિક્ત નામાર્થ છે. અહીં બેયનો સાક્ષાત્ સંબંધ છે અને બેયનો અભેદથી તો અન્વય થાય જ છે. ‘અન્વય જ ન થાય' એમ કહેત તો અભેદથી પણ અન્વય નહિ થવાની આપત્તિ આવત.
મીમાંસક : રાનપુરુષઃ તત્પુરુષ સ્થળે જે ષષ્ઠી વિભક્તિ લુપ્ત થયેલી છે તેનું સ્મરણ થઈ જાય છે અને તેથી અહીં વિભક્ત્યર્થ દ્વાર બની જ જાય છે. આમ રાજન્ અને પુરૂષ એ બે નિપાતાતિરિક્ત નામાર્થનો સાક્ષાત્ સંબંધ છે જ નહિ, કેમકે વિભક્તિ દ્વાર બની જ જાય છે. એટલે હવે એ બે નામાર્થનો ભેદેન અન્વય જરૂર થઈ શકશે અને તેથી નિરૂપિતત્વ સંબંધાત્મક ભેદસંબંધથી અન્વય કરી લેતાં ાનનિરૂપિતસ્વત્વવાન્ પુરુષઃ એવો શાબ્દબોધ ઉપપન્ન થઈ જશે. એટલે હવે રાજન્ પદની રાજસંબંધીમાં લક્ષણા કરવાની જરૂર જ ક્યાં છે ?
નૈયાયિક : અરે ! આ રીતે જે વ્યક્તિને જ્યાં લુપ્તવિભક્તિનું સ્મરણ નથી થયું ત્યાં શું કરશો ? ત્યાં તો સાક્ષાત્ સંબંધ જ છે, કેમકે વિભકત્યર્થ દ્વાર બન્યું નથી. એટલે હવે ત્યાં તો અભેદેન જ અન્વય કરવો પડશે. હવે જો રાજન્ પદની રાજસંબંધીમાં લક્ષણા નહિ કરો તો ત્યાં અભેદેન શાબ્દબોધ જે થાય છે તે શી રીતે થશે ? માટે રાજન્ પદની રાજસંબંધીમાં લક્ષણા કરવી જ જોઈએ. અને તે રાજસંબંધીનો પુરૂષ સાથે અભેદેન અન્વય કરવો જોઈએ.
રાજન્ રાજસમ્બન્ધી. રાનસમ્બન્ધ્યમિન્નઃ પુરુષઃ રાનપુરુષઃ ।
मुक्तावली : द्वन्द्वे तु धवखदिरौ छिन्धीत्यादौ धवः खदिरश्च विभक्त्यर्थद्वित्वप्रकारेण बुध्यते तत्र न लक्षणा ।
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૬૩)
=