________________
कारिकावली : साध्यशून्यो यत्र पक्षस्त्वसौ बाध उदाहृतः । उत्पत्तिकालीनघटे गन्धादिर्यत्र साध्यते ॥ ७८ ॥
मुक्तावली : साध्यशून्य इति । पक्षः पक्षतावच्छेदकविशिष्ट इत्यर्थः । तेन घटे गन्धसत्त्वेऽपि न क्षतिः । एवं मूलावच्छिन्नो वृक्षः कपिसंयोगीत्यत्रापि વોઘ્યમ્ ॥
इति श्रीविश्वनाथपञ्चाननभट्टाचार्यविरचितायां सिद्धान्तमुक्तावल्यामनुमानखण्डम्
મુક્તાવલી : બાધ : સાધ્યામાવવાનું પક્ષ: I
उत्पत्तिकालीनो घटः गन्धवान् पृथ्वीत्वात् ।
અહીં પક્ષતાવચ્છેદક ઉત્પત્તિકાલીનત્વ, તદ્વિશિષ્ટ પક્ષ = ઉત્પત્તિકાલીન ઘટ. તેમાં ગંધ નથી માટે અહીં બાધ દોષ છે. જો પક્ષતાવચ્છેદક વિશિષ્ટને પક્ષ તરીકે ન લઈએ અને સામાન્યતઃ ઘટને જ પક્ષ તરીકે લઈએ તો બાધ દોષ ન આવે, કેમકે દ્વિતીયાદિ ક્ષણોમાં તો ઘટમાં ગંધ છે જ. આ તો કાળને પક્ષતાવચ્છેદક બનાવ્યો માટે બાધ દોષ આવ્યો. આ જ રીતે દેશને પણ પક્ષતાવચ્છેદક બનાવી શકાય.
मूलावच्छिन्नो वृक्षः कपिसंयोगी एतद्वृक्षत्वात् ।
અહીં પણ બાધ દોષ છે, કેમકે મૂલાવચ્છેદેન વૃક્ષમાં કપિસંયોગનો અભાવ છે. અહીં પ્રાચીનોના મતે હેત્વાભાસના લક્ષણો પૂર્ણ થયા.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ) (૧૧૫)