________________
(૫) નિર્વાહકૈક્ય-સંગતિઃ પાયોનપ્રયોત્વમ્ નિર્વાદવમ્ ા નિર્વાહત્ત્વ જ રત્વમ્
જયાં કારણ એક હોય અને તેના કાર્ય બે હોય ત્યાં એક કાર્યના નિરૂપણ બાદ તે જ કારણના બીજા કાર્યનું જે નિરૂપણ થાય તે આ સંગતિને લઈને થાય છે. દા.ત. એ સંસ્કારના બે કાર્યો છે : સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન. તેમાં સંસ્કારના એક કાર્યરૂપ છે
સ્મરણના નિરૂપણ બાદ સંસ્કારના જ બીજા કાર્યરૂપ પ્રત્યભિજ્ઞાનનું પણ નિરૂપણ આ જ નિર્વાહકૈક્ય-સંગતિથી થાય છે.
(૬કાયેંક્ય-સંગીત :
પાંચમી સંગતિમાં એક કારણના બે કાર્ય લીધા હતા, જ્યારે અહીં એક કાર્યના બે જ કારણ અભિપ્રેત છે. એક જ કાર્યના બે કારણોમાં એક કારણનું નિરૂપણ કર્યા બાદ તે જ આ કાર્યના બીજા પણ કારણનું જે નિરૂપણ થાય તે આ સંગતિને લઈને થાય છે. દા.ત.
અનુમિતિ કાર્યના બે કારણો છે પરામર્શ અને પક્ષતા. તેમાં પહેલા કારણભૂત પરામર્શનું નિરૂપણ કર્યા બાદ બીજા કારણરૂપ પક્ષતાનું પણ નિરૂપણ આ કાયેંક્યઆ સંગતિથી થાય છે, કેમકે અનુમિતિનું એક કારણ બતાવ્યા પછી મનમિત્તે ગત્ લિંક જ વારમ્' એવી જિજ્ઞાસા ઊભી થાય જ છે.
પ્રસ્તુતમાં પ્રત્યક્ષ-નિરૂપણ બાદ અનુમિતિ નિરૂપણીય કેમ બની? એના ઉત્તરમાં છે. હવે સ્પષ્ટ સમજાઈ જાય છે કે અનુમિતિમાં હેતુતા-સંગતિ છે અથવા તો અવસર-સંગતિ જ છે. માટે પ્રત્યક્ષ-નિરૂપણ બાદ અનુમિતિ નિરૂપણીય બને છે. છે. હવે અનુમાન ખંડનો આરંભ કરવા પૂર્વે અનુમાનના બે પ્રકારો અને હેતુના પ્રકારો - એમ બીજી બે વાતો પણ સમજી લઈએ.
* અનુમાનના પ્રકારો : અનુમાન : અનુમાન બે પ્રકારના છે : સ્વાર્થનુમાન અને પરાર્થનુમાન.
(i) સ્વાર્થનુમાન : પોતાના અનુમિત્યાત્મક જ્ઞાનમાં હેતુભૂત જે અનુમાન તે જ જ સ્વાર્થાનુમાન કહેવાય છે. જેમ મહાનસમાં વહ્નિ-ધૂમ જોયા અને મહાનસીય વહ્નિની આ આ મહાનસીય ધૂમમાં વ્યાપ્તિનું જ્ઞાન કર્યું. ત્યાર બાદ તે જ પુરૂષે ક્યારેક પર્વતમાં એવી જ ધૂમરેખા જોઈ કે જે મૂળથી છેડા સુધી અવિચ્છિન્ન હતી. આવી ધૂમરેખા જોવાથી તેને આ
ધૂમો વદ્વિવ્યાપ્ય એવા વ્યાપ્તિજ્ઞાનથી પડેલા સંસ્કારોનું ઉદ્ધોધન થયું અને તેથી જ આ વ્યાપ્તિનું સ્મરણ થયું. ત્યાર પછી તે નક્કી કરે છે કે આ પર્વતમાં પણ વતિ છે. આ 30 છે કે ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૩) જે છે તે જ છે