________________
* * * * * * * *************
मुक्तावली : आत्मादिवारणाय सत्यन्तम् । उद्भूतविशेषगुणस्य शब्दस्य श्रोत्रे सत्त्वाच्छब्देतरेति । विशेषगुणस्य रूपादेश्चक्षुरादावपि सत्त्वादुद्भूतेति ।
મુક્તાવલી : હવે એનું પદકૃત્ય કરીએ.
જો સત્યન્ત દલ ન કહે અને જ્ઞાનજારામન:સંયોગાશ્રયત્વમ્ રૂન્દ્રિયત્વમ્ એટલું જ કહે તો જ્ઞાનમાં કારણીભૂત ‘આત્મમનઃસંયોગ' તો આત્મામાં છે જ. એટલે તેવા સંયોગનો આશ્રય આત્મા બની જતાં આત્મામાં આ લક્ષણની અતિવ્યાપ્તિ થાત. હવે તેમ નહિ થાય, કેમકે શબ્દતર ઉદ્ભૂત ગુણો જ્ઞાનાદિ ગુણો છે. તેનો તો આત્મા અનાશ્રય નથી કિન્તુ આશ્રય જ છે.
હવે ‘શબ્દેતર' ન કહે તો શ્રોત્રેન્દ્રિયમાં આ લક્ષણની અવ્યાપ્તિ થાય, કેમકે હવે લક્ષણ આવું બન્યું કે : દ્યૂતવિશેષનુળાનાશ્રયત્વે મતિ જ્ઞાનવામનઃસંયોગાશ્રયત્વમ્॥ શ્રોત્રેન્દ્રિય તો ઉદ્ભૂતવિશેષગુણનો અનાશ્રય નથી, કેમકે શ્રોત્રેન્દ્રિય ઉદ્ભૂતવિશેષગુણ શબ્દનો આશ્રય જ છે. હવે ‘શબ્દેતર’ પદ મૂકવાથી આ દોષ નહિ આવે, કેમકે શબ્દતર ઉદ્ભુતવિશેષગુણ રૂપાદિનો તો શ્રોત્રેન્દ્રિય અનાશ્રય છે જ અને જ્ઞાનકા૨ણમનઃસંયોગનો આશ્રય પણ છે.
જો ‘ઉદ્ભૂત' પદ ન મૂકે તો ચક્ષુરાદિ ઈન્દ્રિયોમાં લક્ષણની અવ્યાપ્તિ થાય, કેમકે હવે લક્ષણ આવું બન્યું કે : શબ્વેતવિશેષનુળાનાશ્રયત્વે સતિ જ્ઞાનજારામનઃસંયોગ
श्रयत्वम् ।
ચક્ષુરાદિ ઈન્દ્રિયો શબ્દતર વિશેષગુણ રૂપાદિ, તેનો અનાશ્રય નથી કિન્તુ આશ્રય છે. હવે ‘ઉદ્ભૂત' પદના નિવેશથી આ અવ્યાપ્તિ નહિ આવે, કેમકે ચક્ષુરાદિ ઈન્દ્રિયો રૂપાદિનો આશ્રય હોવા છતાં તે રૂપાદિ ઉદ્ભૂત નથી. એટલે ઉદ્ધૃત રૂપાદિનો તો તે ઈન્દ્રિયો અનાશ્રય છે જ અને જ્ઞાનકારણમનઃસંયોગનો આશ્રય પણ છે.
मुक्तावली : उद्भूतत्वं न जातिः, शुक्लत्वादिना साङ्कर्यात् । न च शुक्लत्वादिव्याप्यं नानैवोद्भूतत्वमिति वाच्यम्, उद्भूतरूपत्वादिना चाक्षुषादौ जनकत्वानुपपत्तेः, किन्तु शुक्लत्वादिव्याप्यं नानैवानुद्भूतत्वं, तदभावकूटश्चोद्भूतत्वं तच्च संयोगादावप्यस्ति तथा च शब्देतरोद्भूतगुणः
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ (૨૪૧)