________________
heconochrobochuchachodacoboscostosabastoncoastwoocostobaccoboostcoadabadowodoodoosoo
ostatostogodbo
| આકાર માનીને તે ઉપરથી અર્થનું અનુમાન કરે છે. આમ આ મત ઘટાદિનું પ્રત્યક્ષ માનતો નથી. હવે દરેકને ક્રમશ: વિચારીએ.
(૧) માધ્યમિક: આ બૌદ્ધ સંપ્રદાય “શૂન્યવાદી' નામથી પણ ઓળખાય છે. આના મતે સમગ્ર બાહ્ય જગત શૂન્યસ્વરૂપ છે. સદાને માટે નિરાકાર, નિરુપપ્લવ(રૂપ-રંગાદિ રહિત શુદ્ધ અવસ્થાનું જ્ઞાન), સ્વચ્છ, ક્ષણિક સંવિત (જ્ઞાન) એ જ તત્ત્વ છે. એ જ સત્ છે. તે સિવાયનું બધું શૂન્ય છે, અસત્ છે.
(૨) યોગાચાર : મુક્તાવલીકારે આ વિજ્ઞાનવાદની ચર્ચા કરી છે. આના મતે ક્ષણિક વિજ્ઞાન એ જ સત્ છે, અર્થાત્ બાહ્ય ઘટાદિ પદાર્થો અસત્ છે, મિથ્યા છે. અર્થ | વટ, મયં પટ: ઇત્યાદિ ઘટ-પટાદિની જે પ્રતીતિ થાય છે તે સ્વપ્નના પદાર્થોની પ્રતીતિ જેવી બ્રાન્ત અને કલ્પિત છે. જેમ સ્વપ્નમાં કોઈ ઘટાદિ અર્થનું અસ્તિત્વ ન હોવા છતાં તે બધાની ભ્રાન્ત પ્રતીતિ થયા કરે છે તેવું જ જાગ્રત અવસ્થામાં પણ ભ્રાન્ત જ્ઞાન થયા કરે છે. આમ જાગ્રત કાળમાં પણ જે કંઈ વ્યવહાર થાય છે તે બધો ઘટાદિ અર્થ વિના, માત્ર વિજ્ઞાનથી જ ચાલ્યા કરે છે, કેમકે જ્ઞાન એ એક જ યથાર્થ વસ્તુ છે.
આ મતનો કહેવાનો આશય એ છે કે પદાર્થ માત્ર વિજ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન દ્વારા પદાર્થોનો અનુભવ થાય છે. જ્ઞાન હોવાથી જ “આ વૃક્ષ છે', “આ જ છે', “આ પુસ્તક છે' એવો વ્યવહાર થાય છે. જો જ્ઞાન જ ન હોત તો વૃક્ષાદિની પ્રતીતિ થાત નહિ. જ્ઞાન હોય તો વૃક્ષાદિની પ્રતીતિ હોય. જ્ઞાન જ ન હોય તો વૃક્ષાદિની પ્રતીતિ પણ ન જ હોય. આથી સિદ્ધ થાય છે કે પદાર્થો જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનથી અતિરિક્ત પદાર્થ T જેવી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. આમ છતાં અમુક વખતે ઘટનું, અમુક વખતે પટનું વગેરે I જે જ્ઞાન થાય છે તે પૂર્વના સંસ્કારોને લીધે બને છે. વિજ્ઞાનમાં પૂર્વપૂર્વના સંસ્કાર ચાલ્યા | આવે છે અને પૂર્વપૂર્વની વાસના તેવા તેવા જ્ઞાનના આકાર બનાવે છે.
વિજ્ઞાનવાદી યોગાચાર કહે છે કે જયાં સુધી ક્ષણિકમાં સ્થિરત્વની ભાવના રાખો છો અને બાહ્ય અસત્ પદાર્થોને સત્ સ્વરૂપે જુઓ છો ત્યાં સુધી સંસાર છે. વિજ્ઞાનાત્માને ક્ષણિક માનો અને બાહ્ય ઘટાદિને અસત્ માનો તો અહંકારની વાસના નષ્ટ થાય. એમ થતાં નિરૂપપ્લવ, નિરાકાર વિજ્ઞાનની ધારા ચાલે. આવી ધારા ચાલવી તે જ મોક્ષાવસ્થા છે. ટૂંકમાં સાકાર વિજ્ઞાનસ્વરૂપ આત્મા સંસાર છે, નિરાકાર વિજ્ઞાનસ્વરૂ૫ આત્મા મોક્ષ
: :: :: boedbacco sosedowcowed
: : ::
. (૩) સૌત્રાનિકઃ પૂર્વે કહ્યા મુજબ આ મત બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ સ્વીકારે છે.
યોગાચાર-બૌદ્ધની સામે તેની દલીલ એ છે કે જો બાહ્ય પદાર્થ જેવું કંઈ હોય જ નહિ TET 1 વ્યાચસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૧૦)