________________
Scoo
શરીર ઃ વાયુથી બનેલું શરીર પિશાચ વગેરેનું હોય છે.
પ્રશ્ન : પિશાચાદિનું શરીર જો વાયુનું જ હોય અથવા તો પૂર્વે જે જલીય કે તૈજસ શરીરો કહ્યા છે તે માત્ર જલ કે તેજના જ બનેલા હોય તો તે શરીરથી તે આત્મા વિષયોનો ઉપભોગ શી રીતે કરી શકે ?
ઉત્તર : જલીય, તૈજસ કે વાયવીય શરીરોમાં પાર્થિવાદિ ભાગો પણ હોય જ છે, | તેમાં માત્ર જલાદિનું પ્રાધાન્ય હોય છે. એટલે પાર્થિવ ભાગના ઉપખંભને લીધે (સહાયને |
લીધે) તે શરીરો ઉપભોગ-સામર્થ્યવાળા હોય છે. તે જ રીતે વરૂણલોકના જલીય, | | સૂર્યલોકના તૈજસ શરીરમાં તે તે દ્રવ્યની પ્રધાનતા સમજવી.
ઇન્દ્રિય ? – ઇન્દ્રિય રૂપાદિમાંથી સ્પર્શની જ વ્યંજક હોવાથી વાયવોય છે. જેમ શરીરને પાણી લાગેલ હોય, તે પછી જે પંખાનો પવન વાય તે પવન અંગસંગી-જલના | રૂપાદિમાંથી માત્ર સ્પર્શનો જ વ્યંજક છે માટે તે પવન વાયવીય છે, તેમ ત્વગુ ઇન્દ્રિય પણ રૂપાદિમાંથી સ્પર્શની જ વ્યંજક છે માટે તે પણ વાયવીય છે.
નિયમ્ (પક્ષ) વાવીયમ્ (સાધ્ય), રૂપવિષે અવૈવામિત્રવર્તત (હેતુ), મક્ષિત્નિત્નત્યમિત્રેવવ્યનનપવનવત્ (ઉદા.) कारिकावली : प्राणादिस्तु महावायुपर्यन्तो विषयो मतः ।। मुक्तावली : विषयं दर्शयति - प्राणादिरिति । यद्यप्यनित्यो वायुश्चतुर्विधः, | तस्य चतुर्थी विधा प्राणादिरित्युक्तमाकरे तथापि संक्षेपादन त्रैविध्यमुक्तम् । प्राणस्त्वेक एव हृदादिनानास्थानवशान्मुखनिर्गमादिनानाक्रियाभेदाच्च नानासंज्ञां लभत इति ।
મુક્તાવલી : વિષય : પ્રાણાદિથી લઈને જે મહાવાયુ વાય છે તે બધા ય વાયુના વિષય છે. જો કે અનિત્ય વાયુ ચાર પ્રકારનો છે. (પૂર્વોક્ત શરીર, ઇન્દ્રિય અને વિષય
એમ ત્રણ + પ્રાણાદિ) વૈશેષિક સૂત્રના પ્રશસ્તપાદ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે છતાં | અહીં તો સંક્ષેપથી ત્રણ પ્રકારના વાયુ કહ્યા છે, અર્થાત્ પ્રાણાદિ ચોથા પ્રકારનો વાયુ , ત્રીજા વિષય-પ્રકારમાં સમાવી લીધેલ છે.
વસ્તુતઃ “પ્રાણ' નામનો એક જ વાયુ ક્રિયાદિ ભેદથી પાંચ પ્રકારનો બને છે.
balsta cosawstwowawcasescascadostwowssasasasasasasasasasasasasasascostosowdows
દાદા દાદી દાદાગદાદી દાદી દાદા દાદી દાદા:
too sqqqqqqq ન્યાયસિદ્ધાન્તમતાવલી ભાગ-૧૦ (૧૫૬) EY જગદીશ