________________
kustasostud w
w w.
cocostawcostawstwowbostosastodos todos estosteroscosto
castetoscos
| कार्यजातमदृष्टाधीनम् । यत्कार्यं यददृष्टाधीनं तत्तदुपभोगं साक्षात् परम्परया |वा जनयत्येव न हि बीजप्रयोजनाभ्यां विना कस्यचिदुत्पत्तिरस्ति, तेन |
व्यणुकादि ब्रह्माण्डान्तं सर्वमेव विषयो भवति । शरीरेन्द्रिययोर्विषयत्वेऽपि | प्रकारान्तरेणोपन्यासः शिष्यबुद्धिवैशद्यार्थः ॥
- મુક્તાવલી : (૩) વિષય : ઉપભોગનું સાધન વિષય કહેવાય, અર્થાત્ સુખનો કે દુઃખનો સાક્ષાત્કાર કરવો તે ઉપભોગ કહેવાય. અને તે સુખદુઃખાનુભવમાં સાક્ષાત્ કે પરંપરા હેતુ (પ્રયોજક) બનનારા બધા પદાર્થ વિષય કહેવાય.
હવે મુક્તાવલીકાર કાર્ય અને અદષ્ટનો કાર્ય-કારણભાવ બતાવીને વિષયનું ઉપપાદન કરે છે.
જગતના તમામ કાર્યો અદૃષ્ટથી જન્ય (આધીન) છે. જે કાર્ય જે વ્યક્તિના અદૃષ્ટથી | ઉત્પન્ન થાય તે કાર્ય (વિષય) તે વ્યક્તિના ઉપભોગમાં આવે, અર્થાત્ સાક્ષાત્ કે પરંપરયા તે કાર્ય તે વ્યક્તિના ઉપભોગનું સાધન (વિષય) બને જ.
કોઈપણ કાર્યની ઉત્પત્તિ બીજ (કારણ) અને પ્રયોજન (સુખાદિ ફળ) વિના થઈ શકતી જ નથી. એટલે દ્રવ્યણુકથી માંડીને બ્રહ્માંડ સુધીના તમામ કાર્યો તે તે વ્યક્તિના તે તે અદષ્ટરૂપ કારણને લીધે તથા તે તે વ્યક્તિના સુખાદિ ફળને લીધે જ ઉત્પન્ન થાય છે તેમ માનવું જોઈએ. આમ વ્યણુકાદિ બધા ય કાર્યો તે તે વ્યક્તિના ઉપભોગનું | સાધન-વિષય બને છે.
પ્રશ્ન: તમે શરીર, ઇન્દ્રિય અને વિષય એમ ત્રણ પ્રકારની પૃથ્વી કેમ બતાવી? શરીર | અને ઈન્દ્રિય પણ એક પ્રકારના વિષય જ છે, તો વિષયમાં જ તેનો સમાવેશ ન કરી લેવાય?
ઉત્તર : હા, છતાં શિષ્યમતિવૈશદ્યાર્થે ત્રણ પ્રકારની પૃથ્વી કહી છે.
બ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૩૫) EYES