________________
hostowwesos esbossos de ses souscouscouscowowowowowscom
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
वृक्षादीनामपि चेष्टासत्त्वान्नाव्याप्तिः । न च वृक्षादेः शरीरत्वे किं मानमिति वाच्यम्, आध्यात्मिकवायुसम्बन्धस्य प्रमाणत्वात् । तत्रैव किं मानमिति चेत् ? भग्नक्षतसंरोहणादिना तदुन्नयनात् ।
મુક્તાવલી : પ્રશ્ન : સાંકર્યદોષના ભયને લીધે પાર્થિવ એવા શરીરને ભલે જલીય અને તૈજસ ન માનો, પણ એ શરીરને કેવળ જલીય કે કેવળ તૈજસ માનો ને? પાર્થિવ જ શા માટે માનવું જોઈએ ?
ઉત્તરઃ મડદાંને પણ શરીર કહેવાય છે. તે વખતે ફલેદાદિ રૂપ જલનો કે હોજરીના અગ્નિરૂપ તૈજસનો વિનાશ થઈ ગયો છે. માટે જ માનુષાદિ શરીરને પાર્થિવ માનવું જોઈએ. જો જલ કે તેજ હોવાથી જ તે શરીર કહેવાતું હોય તો મડદાંમાં જલ-તેજનો વિનાશ થયો હોવાથી તેને શરીર ન કહેવાત. વળી મડદામાં ગન્ધાદિ ઉપલબ્ધ થાય છે | માટે તે શરીરને પાર્થિવ જ કહેવાય.
પ્રશ્નઃ શરીર તો પાંચ ભૂતોનું બનેલું કહેવાય છે ને ? તમે તો માત્ર પૃથ્વીનું જ | બનેલું કહો છો, તે શી રીતે ?
ઉત્તર : ના, માનુષાદિ શરીરનું ઉપાદાન-કારણ પૃથ્વી છે. બાકીના જલાદિ ચાર ભૂતો શરીરનું નિમિત્તકારણ તો છે જ. એટલે પાર્થિવ શરીરમાં ય પાંચેય ભૂતોની કારણતા તો છે જ.
એ જ રીતે વરૂણ દેવતાના જલીય શરીરમાં જલ ઉપાદાન-કારણ, અગ્નિ દેવતાના તૈજસ શરીરમાં તેજ ઉપાદાન-કારણ અને બાકીના ચાર ભૂત નિમિત્તકારણ હોય છે ! ઈત્યાદિ સમજી લેવું.
પ્રશ્ન : “શરીરત્વ' એ જાતિ છે કે ઉપાધિ ?
ઉત્તર : પૃથ્વીત્વ સાથે સાંકર્મ આવવાથી તે જાતિ નથી પરન્તુ ઉપાધિ છે. જલાદિ ત્રણ શરીરમાં પૃથ્વીત્વ નથી અને શરીરત્વ છે, ઘટાદિમાં શરીરત્વ નથી અને પૃથ્વીત્વ છે અને પાર્થિવ માનુષ શરીરમાં શરીરત્વ અને પૃથ્વીત્વ ઉભય છે. - શરીરત્વમ્ વેણાશ્રયત્વમ્ હિતાદિતwતરિદારોનુના ક્રિયા વેષ્ટા . વૃક્ષાદિમાં, પણ ચેષ્ટા છે અને વૃક્ષાદિનું પણ શરીર કહેવાય છે માટે આ લક્ષણની તેમાં અવ્યાપ્તિ | નહિ થાય.
પ્રશ્ન ઃ વૃક્ષાદિનું પણ શરીર કહેવાય છે તેમાં પ્રમાણ શું છે ?
દરદીદી દડદડડદાદી દાદાગીદ8
qgs
ચાયદ્ધિાન્તકતાવલી ભાગ-૧૦ (૧૩૦)
ထည့်တာ દીદીએ