________________
skutow ashw
wastossstastwestshoorstwooooooooooo
ઉત્તર : વન્દ્ર પૃથ્વીત્વમ્ એટલું જ કહીએ તો ય ચાલે, છતાં દ્વિવિધ પદ | મૂક્યું છે તે સ્વરૂપ વિશેષણ છે, અર્થાત પૃથ્વીની વસ્તુસ્થિતિ માત્ર જણાવી છે. એટલે વસ્તુતઃ વિધન્યવર્તમ્ પૃથ્વીત્વમ્ લક્ષણ ન કરાય, કેમકે લક્ષણમાં એકપણ પદ| હું નિરર્થક ન હોવું જોઈએ. “દ્વિવિધ' વિશેષણ તો અહીં વ્યભિચારવારક ન હોવાથી | નિરર્થક છે. માટે gિવિધન્યવત્ત્વમ્ એ માત્ર પૃથ્વીની વસ્તુસ્થિતિ જણાવે છે એટલું જ સમજવું, અર્થાત્ પૃથ્વીની ગંધ સૌરભ-અસૌરભ ભેદથી બે પ્રકારની છે એટલું જ જણાવવું છે, નહિ કે આ વિશેષણથી કોઈનો વ્યવચ્છેદ કરવો છે.
અહીં તાત્પર્ય એ છે કે એક તો વ્યભિચાર-પ્રસંગ નિવારવા માટે વ્યવચ્છેદક | વિશેષણ હોય છે, તેમ બીજું માત્ર વિશેષ્યના સ્વરૂપને જણાવનાર=જ્ઞાપક-સ્વરૂપદર્શક વિશેષણ હોય છે. “જ્ઞાની આત્મા મુક્તિ પામે છે.” આ સ્થાને અજ્ઞાનીનો વ્યવચ્છેદ
થાય છે માટે “જ્ઞાની વિશેષણ વ્યભિચારવારક છે. જયારે “ચેતનાવાળો આત્મા આ કર્તવાદિ ધર્મવાળો હોય છે. અહીં ચેતના વિનાનો કોઈ આત્મા હોય તો તેનો
વ્યવચ્છેદ ચેતના વિશેષણથી થાત, પણ તેમ તો છે નહિ. તમામ આત્મા ચેતનાવાળા જ હોય છે. એટલે અહીં જે “ચેતના' વિશેષણ છે તે આત્માના સ્વરૂપને જ વિશેષિત કરે છે, નહિ કે વ્યભિચારનું વારણ.
તે જ રીતે પ્રસ્તુતમાં પણ દ્વિવિધવિશેષણ પણ સ્વરૂપદર્શક વિશેષણ છે એમ સમજવું. માટે તેને લક્ષણ ન કહેવાય, કેમકે લક્ષણમાં તો વ્યભિચારવારક - સાર્થક વિશેષણનો જ ઉપયોગ થાય છે. कारिकावली : स्पर्शस्तस्यास्तु विज्ञेयो ह्यनुष्णाशीतपाकजः ।
नित्यानित्या च सा द्वेधा नित्या स्यादणुलक्षणा ॥३६॥ मुक्तावली : स्पर्श इति । तस्याः = पृथिव्याः । अनुष्णाशीतस्पर्शवत्त्वं वायावपि वर्तत इत्युक्तं पाकज इति । इत्थं च पृथिव्याः स्पर्शोऽनुष्णाशीत इति ज्ञापनार्थं तदुक्तं । वस्तुतस्तु पाकजस्पर्शवत्त्वमानं लक्षणं, अधिकस्य | वैयर्थ्यात् । यद्यपि पाकजस्पर्शः पटादौ नास्ति तथापि पाकजस्पर्शववृत्ति| द्रव्यत्वव्याप्यजातिमत्त्वमर्थो बोध्यः । - મુક્તાવલીઃ (૪) પૃથ્વીનો સ્પર્શ : પૃથ્વીનો સ્પર્શ ઉષ્ણ નથી તેમ શીત પણ નથી, વાચસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૧૨)
E