________________
શેષ સામાન્ય ગુણ છે.
कारिकावली : स्पर्शादयोऽष्टौ वेगश्च गुरुत्वं च द्रवत्वकम् ।
रूपं रसस्तथा स्नेहो वारिण्येते चतुर्दश ॥ ३१ ॥
મુક્તાવલી : સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, વેગ, સાંસિદ્ધિકદ્રવત્વ, ગુરુત્વ, રૂપ, રસ, સ્નેહ - આ ચૌદ જલના ગુણ છે. તેમાં સ્પર્શ, સાંસિદ્ધિકદ્રવત્વ, રૂપ, રસ, સ્નેહ એ વિશેષગુણો છે, શેષ સામાન્ય ગુણો છે. कारिकावली : स्नेहहीना गन्धयुताः क्षितावेते चतुर्दश ।
बुद्ध्यादिषट्कं संख्यादिपञ्चकं भावना तथा ॥३२॥ धर्माधर्मौ गुणा ते ह्यात्मनः स्युश्चतुर्दश । सङ्ख्यादिपञ्चकं कालदिशोः शब्दश्च ते च खे ॥३३॥
मुक्तावली : ते च खे આજાશે ॥
મુક્તાવલી : સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, વેગ, નૈમિત્તિકદ્રવત્વ, ગુરુત્વ, રૂપ, રસ, ગન્ધ - આ ચૌદ પૃથ્વીના ગુણ છે. તેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ વિશેષગુણો છે, શેષ સામાન્ય ગુણો છે.
બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, ભાવના, ધર્મ, અધર્મ - આ ચૌદ આત્માના ગુણ છે. તેમાં બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ભાવના, ધર્મ, અધર્મ એ વિશેષગુણ છે, શેષ સામાન્યગુણ છે. સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ- આ પાંચ કાળ અને દિશાના ગુણ છે. આ સામાન્ય ગુણ છે.
સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, શબ્દ - આ છ આકાશના ગુણ છે. તેમાં શબ્દ વિશેષગુણ છે, શેષ સામાન્યગુણ છે.
कारिकावली : संख्यादयः पञ्च बुद्धिरिच्छा यत्नोऽपि चेश्वरे । परापरत्वे सङ्ख्याद्याः पञ्च वेगश्च मानसे ॥३४॥
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૧૧૨)