________________
मुक्तावली : अन्यत्रेति । नित्यद्रव्याणि परमाण्वाकाशादीनि विहायाश्रितत्वं साधर्म्यमित्यर्थः । आश्रितत्वं तु समवायादिसम्बन्धेन वृत्तिमत्त्वं, विशेषणतया नित्यानामपि कालादौ वृत्तेः । इदानीं द्रव्यस्यैव विशिष्य साधर्म्यं वक्तुमारभते - क्षित्यादीनामिति । स्पष्टम् ॥
कारिकावली : क्षितिर्जलं तथा तेजः पवनो मन एव च । परापरत्वमूर्त्तत्वक्रियावेगाश्रया अमी ॥२५॥
मुक्तावली : क्षितिरिति । पृथिव्यप्तेजोवायुमनसां परत्वापरत्ववत्त्वं मूर्तत्वं वेगवत्त्वं कर्मवत्त्वं च साधर्म्यम् । न च यत्र घटादौ परत्वमपरत्वं वा नोत्पन्नं तत्राव्याप्तिरिति वाच्यम्, परत्वादिसमानाधिकरणद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् ।
મુક્તાવલી : નિત્ય દ્રવ્ય સિવાયના પદાર્થોનું સાધર્મ્સ : પરમાણુ અને આકાશ આદિને છોડીને બાકીના બધા ય (ઘટાદિ અનિત્ય અને વિશેષાદિ નિત્ય) પદાર્થોનું સાધર્મ આશ્રિતત્વ છે, અર્થાત્ તે બધા ય પદાર્થ ક્યાંય ને ક્યાંય આશ્રિત-રહેનારા છે. અહીં ક્યાંય પણ સમવાયસંબંધથી જ રહેવાપણું લેવું. જો તેમ ન કહીએ તો કાલિકસંબંધથી નિત્યદ્રવ્ય પરમાણુ, આકાશ વગેરે પણ આશ્રિત થઈ જતાં લક્ષણ અતિવ્યાપ્ત થશે.
નવ દ્રવ્યનું સાધર્મ્સ : (૧) દ્રવ્યત્વ, (૨) ગુણયોગિત્વ. નવ દ્રવ્યનું સાધર્મ દ્રવ્યત્વ છે તથા નવેયમાં ગુણ રહે છે માટે તેમનું સાધર્મ ગુણયોગિત્વ-ગુણવત્ત્વ પણ છે.
પાંચ મૂર્ત પદાર્થનું સાધર્મ્સ : પૃથ્યાદિ પાંચેયમાં પરત્વાદિ સાધર્મ છે. એક પૃથ્વી નજીકમાં હોય તો જેની નજીકમાં હોય તેની અપેક્ષાએ તે ઘટાદિ પૃથ્વી બીજી દૂર રહેલી ઘટાદિ પૃથ્વીથી ‘અપર' કહેવાય અને તે દૂર રહેલી ઘટાદિ પૃથ્વી ‘પર’ કહેવાય. આમ એક વ્યક્તિની અપેક્ષાએ તે ઘટ પૃથ્વી આદિ પાંચેયમાં પરત્વ, અપરત્વ ઉત્પન્ન થાય.
૧. પરત્વે ૨. અપરત્વ ૩. મૂર્તત્વ ૪. ક્રિયાવત્ત્વ (ક્રિયા) ૫. વેગવત્ત્વ (વેગ).
(૧) પરત્વ (૨) અપરત્વ : પ્રશ્ન : જે ઘટાદિ પૃથ્વીમાં કોઈની પણ અપેક્ષાએ પરત્વ-અપરત્વ ઉત્પન્ન થયું નથી ત્યાં આ બે સાધર્મની અવ્યાપ્તિ થશે ને ?
અ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૯૨)