SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અને માનતુંગના આ પ્રશ્નનું સમાધાન આપવા મુનિભગવંતે એ બંનેના પૂર્વભવ કહેવાનું શરૂ કર્યું. જંબુદ્વીપ ભારતદેશ પૃથ્વભૂષણે નગર તિલકસેન રાજા ધનદત્ત શેઠ જિનદત્તજિનપાલ બે પુત્રો. બન્યું એવું કે જિનપાલને એક વાર સદ્ગુરુનો યોગ થયો. એમના મુખેથી દેશના સાંભળીને એણે મૃષાવાદના વિષયમાં પચ્ચખાણ કર્યું. ધંધામાં તો એણે જૂઠ બોલવાનું બંધ કર્યું જ પણ મશ્કરીમાં પણ જૂઠ ન બોલાઈ જાય એ અંગે એણે જબરદસ્ત સાવધગીરી દાખવવા માંડી. હંમેશાં સત્ય જ બોલવાના એના આગ્રહના કારણે ક્યારેક ધંધામાં ય એને જોઈએ તેવો લાભ નહોતો થતો છતાં ય વ્રતપાલનના એના આનંદમાં તો સતત વૃદ્ધિ જ થતી હતી. એક દિવસ જિનદત્ત અચાનક દુકાને જઈ ચડ્યો અને એણે જોયું કે ધંધામાં જોઈએ તેવો નફો નહોતો. ‘આમ કેમ ચાલે ?* જિનપાલને એણે પૂછ્યું, ‘પણ એમાં હું શું કરું? ન્યાય-નીતિને છોડીને કે જૂઠ બોલીને હું પૈસા કમાવામાં નથી માનતો.” ‘પણ નિર્ધનતા આવે એનું શું?’ ‘તમને ઘનનો લોભ હોય તો તમે ધંધો કરો. બાકી હું તો આ જ રસ્તે ધંધો કરીશ ?” ‘તારો આ નિર્ણય પાકો જ છે?' ‘હા’ અને આ જવાબ સાંભળીને આવેશમાં આવી ગયેલ જિનદત્તે દુકાનમાં પડેલ લોખંડનું વજનિયું ઉપાડ્યું અને જિનપાલના માથામાં ફટકારી દીધું. વજનિયું મર્મસ્થાને વાગવાથી ત્યાં જ જિનપાલનું મોત થઈ ગયું. ઉદ્યાનમાં મુનિશ્રેષ્ઠ માનવતી સહિત રાજાએ વંદન કર્યા. પહોંચ્યો. પાંચ અભિગમનું પાલન કરીને મુનિ શ્રેષ્ઠને માનવતી સહિત રાજાએ પ્રણામ કર્યા અને ઉચિત આસને બેઠો. મુનિએ ધર્માશિષ આપીને ભવસમુદ્રમાં ડૂબેલા જીવોના અજ્ઞાન–અંધકારનો નાશ કરનારી દેશનાનો પ્રારંભ કર્યો. ખળખળ વહેતા ઝરણાંનાં નીર જેવી દેશના સાંભળીને સહુનાં ચિત્ત પ્રસન્ન તો બન્યા પણ દેશનાની સમાપ્તિ બાદ માનતુંગે મુનિ ભગવંતને પ્રશ્ન પૂછડ્યો. હે સ્વામિન્ ! મારા જીવનમાં માનવતીના પ્રવેશ બાદ જે ઊથલપાથલ સર્જાઈ અને મારા તમામ ઉપાયો માનવતી દ્વારા નિષ્ફળ કરાયા તેનું કારણ શું હતું ? આપ કૃપા કરીને મને એ જણાવી ન શકો?'
SR No.008880
Book TitleAho Ashcharyam
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy