SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જ પડે છે. બેચેનીમાં અને બેચેનીમાં એ પોતાના શિરે રહેલ જવાબદારીઓ પ્રત્યે ય ઉદાસીન બની ગયો છે, ક્યારેક તો એને એમ પણ થઈ જાય છે કે આના કરતાં તો મારા જીવનમાં યોગિની ન જ આવી હોત તો સારું હતું, તરફથી આવતા તમામ પ્રકારનાં કષ્ટોને અપનાવી લેવા એ હોંશે હોંશે તૈયાર થઈ જાય છે. નથી એમાં એને પોતાની લાચારીનાં દર્શન થતાં કે નથી એમાં એને પોતાની દીનતાનાં દર્શન થતાં. નથી એને એમાં કોઈ ગુલામી અનુભવાતી કે નથી એમાં એને કોઈ પરાધીનતા વર્તાતી. અલબત્ત, પ્રેમ થઈ જાય જો સંસારી જીવને પરમાત્મા પર, સગુરુ પર, ધર્મ પર કે ધર્મી પર તો એ ક્ષેત્રમાં આ વાસ્તવિકતા એના આત્મા માટે જબરદસ્ત લાભદાયી બનીને જ રહે, કારણ કે અધ્યાત્મનું આખું ય જગત સમર્પણનું જગત છે, સાધનાનું જગત છે અને સંધર્ષોનું જગત છે, ત્યાં જો ઝૂકી જતા આવડે અને કોને ઘોળીને પી જતા આવડે તો પછી પરમપદ દૂર જ ક્યાં છે ? અહીં યોગિની વીણાવાદનથી અને ભક્તિના ગાનથી રાજાને સતત પ્રસન્ન તો કરે. જ છે પણ પોતાની મરજીમાં આવે ત્યારે પોતાના પિતા પાસે ય એ ચાલી જાય છે. ‘હું આવું તારી સાથે ?' ‘પણ શા માટે ?' ‘જુઓ. તમારે મારી અંગત બાબતમાં પડવાનું નથી.’ ‘પણ આપના વિના હું રહી શકતો નથી.’ ‘રાજનું ! તું જ્યાં પણ જાય ત્યાં મારે તારી સાથે આવવાનું છે પણ હું જ્યાં જાઉં ત્યાં તારે મારી સાથે આવવાનું નથી. આખરે હું યોગિની છું. એક જ સ્થળે વસવાટ કરવાનું મને શોભતું નથી. એટલે હું અવારનવાર જુદી જુદી જગાએ જતી જ રહીશ. તારે એટલા સમય પૂરતો મારો વિરહ સહન કરવો જ પડશે.’ રાજા પાસે યોગિનીના આ બયાનને સ્વીકારી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. યોગિની બનેલ માનવતી સાંજના પિતાને ત્યાં..રાતના ભોંયરા વાટે એકદંડિયા મહેલમાં.. ત્યાંથી સવારના પુનઃ પિતાને ત્યાં...ત્યાંથી યોગિનીનો વેશ પહેરીને નગરની જુદી જુદી ગલીઓમાં ફરતા રહીને માનતુંગના રાજમહેલમાં...બસ, એની આ દિનચર્યા બની ગઈ છે. એ પોતે તો ભરપૂર સ્વસ્થ છે પરંતુ માનતુંગની હાલત ભારે કફોડી બની ગઈ છે કારણ કે એ યોગિની વિના રહી શકતો નથી અને યોગિનીનો વિરહ એને વેઠવો રાજાની વિનંતી માની યોગિની રાજમહેલમાં જ રહેવા લાગી. રાજાએ રાજ કાજ છોડી દીધા અને બંનેનું ચિત્ત એકબીજામાં ભળી ગયું. વાંચી છે ને આ પંક્તિ? जो आ सकती मगर जा नहीं सकती उनका ही नाम आसक्ति। પણ
SR No.008880
Book TitleAho Ashcharyam
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy