________________
શ્રી સીમંધર સ્વામી
વર્તમાન તીર્થંકર આ જ અરિહંત ! આ સમજીને હવે નમસ્કાર બોલો, તો ફળ આપે.
દર્શનથી થવાય નિષ્પક્ષપાતી !
આ નવકારમાં આ જે અરિહંત એ સીમંધર સ્વામી છે, એવું માનીને બોલજો હવે અને બીજા મંત્રો છે, ત્રણેય મંત્રો, તે બધા ય જોડે બોલજો. એમના દેરાસરમાં દર્શન કરવા ગયેલાં ?
પ્રશ્નકર્તા : ના. અમે સ્થાનકવાસી છીએ.
દાદાશ્રી : તમે સ્થાનકવાસી હો તો પણ એમના દર્શન તો કરવાં તમારે. સ્થાનકવાસી એક મત છે. એટલે આપણે મતની બહાર નીકળવું છે, હવે ક્યાં સુધી આ મતમાં પડી રહેવું ? મોક્ષે જવું છે ને કે મોક્ષે નથી જવું ?
દાદાશ્રી : ના. એ તો મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે તીર્થકર જ છે. આપ શું કહો છો ?
પ્રશ્નકર્તા : બરાબર છે. સીમંધર સ્વામી અત્યારે વિચરે છે.
દાદાશ્રી : તમે ગયેલા ખરાં કોઈ દહાડો અહીં મહેસાણા ? મહેસાણામાં સીમંધર સ્વામીનું દેરાસર છે, એ જાણો છો ?
પ્રશ્નકર્તા : હો. દાદાશ્રી : એ ભગવાનનું આપણા ભરતક્ષેત્ર ઉપર અનુસંધાન છે.
વર્તમાન તીર્થંકરો વીસ ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર છે. એવા બીજા તીર્થકરો પણ ત્યાં છે !
દાદાશ્રી : છેને ત્યાં બધા. પ્રશ્નકર્તા : વર્તમાનમાં ?
દાદાશ્રી : હા. એવાં અત્યારે વીસ તીર્થંકરો છે વર્તમાનમાં. એ હોય છે જ ! આ સીમંધર સ્વામી છે. બીજા ઓગણીસ તીર્થંકરો છે, પણ બીજા તીર્થંકરોની મૂર્તિ નથી બેસાડી. કારણ કે આમનું અનુસંધાન છે આપણા ક્ષેત્ર સાથે.
સીમંધર સ્વામીનું વીસ તીર્થંકરોમાં ખાસ ભજવાનું એટલા માટે કે આપણા ભરતક્ષેત્રની નજીકમાં નજીક તે છે અને ભરતક્ષેત્રની જોડે એમનું ઋણાનુબંધ છે.
પ્રશ્નકર્તા : તો અરિહંત એટલે વિદ્યમાન તીર્થકરોને ?
દાદાશ્રી : હા. તે તીર્થંકર તેમને ગણો. બાકી આ ચોવીસ તીર્થકરો થઈ ગયા, એમને અરિહંત ના કહેવાય. અરિહંત તો સીમંધર સ્વામી છે અગર તો બીજા ઓગણીસ તીર્થંકરો હોય એ અરિહંત છે, જે વર્તમાન તીર્થંકર હોય એ અરિહંત કહેવાય.
ઉપયોગપૂર્વકતા તવકાર જાપ ! અને આ તો ઉતાવળે બોલે છે ને, કે નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં. અલ્યા, આ ભંડવાની (ભરડવાની) ચીજ છે ?! આ ઘઉં ભેડો (ભરડો) છો ? નમો અરિહંતાણંની રોટલી કરવી છે ? આ લોક તો રોટલી કરી નાખે, લોટ બાંધીને ?
જ્યાં છે
ત્યાં નમસ્કાર !
અને તે અરિહંત ભગવાન આજ અમારા દેશમાં ના હોય, તો બીજી દુનિયામાં જ્યાં હોય ત્યાં બધે અમે આ નમસ્કાર પહોંચાડીએ છીએ. એ જ્યાં હોય ત્યાં અમારા નમસ્કાર પહોંચે. આપણે કાગળ લખીએ છીએ ને કે ફલાણાભાઈના નામનો એટલે ત્યાં પહોંચે. એટલે નવકારમંત્રમાં બહુ ઉત્તમ કાર્ય કરનારા શબ્દ છે આ બધા.
પ્રત્યક્ષ-પરોક્ષની સ્તુતિમાં ફેર ! પ્રશ્નકર્તા: મહાવીર ભગવાનની સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ અને સીમંધર સ્વામીની આપણે સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ તો, એ