________________
વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી
ભજતા સમજ સાથે ! દાદાશ્રી : મોક્ષે જવું નથી ? મોક્ષે જવાનો વિચાર થાય છે ? પ્રશ્નકર્તા : જવું તો હોય જ ને !
દાદાશ્રી : તો પછી કેમ ખટપટ કરતાં નથી ? કશી સિફારસ લાવો ને !
પ્રશ્નકર્તા : ભગવાનનું નામ લઈએ એ સિફારસ. દાદાશ્રી : કયા ભગવાનનું નામ લો છો ? પ્રશ્નકર્તા: આખો દહાડો નવકાર મંત્રનો જાપ કરીએ છીએ. દાદાશ્રી : એ બરોબર છે. પણ નવકાર મંત્ર તો શાંતિ આપે. પ્રશ્નકર્તા : રોજ નવકાર મંત્ર સાતસો-સાડી સાતસો ગણું છું. દાદાશ્રી : સાડી સાતસો ? પ્રશ્નકર્તા : હા જી. દાદાશ્રી : ‘નમો અરિહંતાણં’ એટલે શું ?
પ્રશ્નકર્તા: એ તો ખબર નથી સાહેબ. સર્વ દેવોને નમસ્કાર થાય એટલી અમને ખબર છે, બીજી ખબર નથી.
વર્તમાન તીર્થંકર દાદાશ્રી : આવું જ છે ને !
પ્રશ્નકર્તા : આપણને નવકાર મંત્રમાં વિશ્વાસ. એ ગણ્યા કરીએ. સર્વ દેવોને નમસ્કાર થાય એમાં.
દાદાશ્રી : હા, પણ નવકારમંત્રનો અર્થ સમજીને કરવાનું કહ્યું છે કે સમજ્યા વગર ?
પ્રશ્નકર્તા : એ ચોપડી વાંચી પણ યાદ ના રહે એ.
દાદાશ્રી : ‘નમો અરિહંતાણં’ શાથી કહે છે ? ‘અરિહંતાણં’ એટલે શું ?
પ્રશ્નકર્તા : હું તો સર્વ દેવોને નમસ્કાર એટલું જ જાણું, બીજું કંઈ ઊંડો હું ઊતર્યો નથી.
દાદાશ્રી : જુઓ તો, આ કહે છે, “અમે બધું જાણીએ છીએ.’ પણ કશું જ જાણતાં નથી ? સાચું જાણે તો કેટલો ફાયદો થાય ?!!! પ્રશ્નકર્તા : જાણીને કરીએ તો ફાયદો થાય.
એમાં ભૂલ કોની ? દાદાશ્રી : અરિહંત કોને કહેવાય ? જે સિદ્ધ થયેલા ના હોય અને અહીં આગળ દેહધારી, કેવળજ્ઞાની હોય તેને અરિહંત કહેવાય. ક્રોધમાન-માયા-લોભ(રૂપી) દુશ્મનોનો જેણે નાશ કર્યો છે એવા કેવળજ્ઞાની, એને અરિહંત કહેવાય. તો અરિહંતને નમસ્કાર કરતાં નથી ? કયા અરિહંતને નમસ્કાર કરો છો ?
શી ભૂલ થઈ જાણો છો ?
એક આચાર્ય મહારાજ હતા. એમને મેં પૂછયું, ‘નવકાર મંત્ર બોલો છો ?” ત્યારે કહે, ‘એ તો રોજ બોલીએ જ છીએ ને !' મેં કહ્યું, ‘શું ફળ મળે છે ?” ત્યારે કહે, ‘એ તો જેવું જોઈએ, એવું ફળ મળતું નથી.” મેં કહ્યું, ‘ભૂલ શું છે મહીં, એ જાણો છો ?”