________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
કેવું સરસ બોલ્યો ! તમને ગમ્યું કે ના ગમ્યું ? એવું પૂછ-પૂછ કરું. પણ જુઓ આ વાણી, માલિકી વગરની વાણી તો જુઓ ! એક કલાક સાંભળેને, તો એની મુક્તિ થઈ જાય, જો સાચા દિલથી સાંભળે તો !
અમારે માલિકીભાવ ન રહ્યો, અહંકારભાવ ના રહ્યો એટલે “હું બોલું છું.’ એ ના રહ્યું અને “મારો બોલ’ એ ય ના રહ્યું, બેઉ શબ્દ ના રહ્યા. નહીં તો જો અમારો બોલ હોતને, તો હું તમને પૂછપૂછ કરું કે અમારા બોલથી તમને કેટલો બધો લાભ થઈ ગયો. અમે બોલ્યાને, તો કેટલો લાભ થઈ ગયો. પણ અત્યારે તો મારાથી એવું બોલાય જ નહીં ને ! એવું બોલે તો તમે જ કહો કે ટેપરેકર્ડ બોલતી હતી ને, દાદા. તમે આવું કેમ બોલ્યા ?
જશ - અપજશતા ધણી પોતે નહીં ! આ રેકર્ડ છે. કારણ કે હું નથી બોલતો આ. રેકર્ડ કોનું નામ કહેવાય કે જેને સારું બોલે તેનો જશ જોઈતો નથી કે ખોટું બોલે તેનો અપજશ જોઈતો નથી. વીતરાગ છે એ.
વખતે ટેપરેકર્ડ કંઈ અવળું બોલે, તો એનો અપજશ અમે લેવા તૈયાર નથી અને સવળું બોલે તેનો જશ લેવા તૈયાર નથી. એના, ટેપરકડના જશ-અપજશના અમે માલિક નથી. છતાં ય એને અપજશ આપવો હોય તો વાંધો નથી અને જશ આપવો હોય તો ય કહીએ કે ટેપરેકર્ડ છે, શું કરવા જશ આપે છે ? કોઈ કહેશે, ‘બહુ સરસ બોલ્યા.” તો એ ટેપરેકર્ડનું અને કોઈ કહેશે, ખરાબ બોલ્યા.’ તો ય એ ટેપરેકર્ડનું. મારું કશું નહીં એમાં.
તમ સમ મને ય મઝા ! છતાં ય આ ટેપરેકર્ડની વાતો ! ‘શી નીકળશે’ એ કહેવાય નહીં. તમને તો મઝા આવે. પણ મને હઉ મઝા આવે.
પ્રશ્નકર્તા : અમને મઝા આવે છે, તે તો દેહધારી પરમાત્મા છે, તેમને સાંભળવાનું મળે છે, તેની અમને મઝા આવે છે. આપને શેની
મઝા આવે છે ?
દાદાશ્રી : મને ય મઝા આવે છે. લો, કેવી વાત આ ! તેની મને હઉ મઝા આવે છે ! કારણ કે ટેપરેકર્ડની વાત ! મારી પોતાની વાત હોય તો મને મઝા ના આવે. આ ટેપરેકર્ડની વાતો છે, એટલે જેટલી તમને મઝા આવે, એટલી મને મઝા આવે. હું જુદો, આ વાત જુદી, અહીં રેડિયો બોલતો હોય, તમને મઝા આવે, એટલી મને મઝા આવે. એવું આ રેડિયાની પેઠ બોલે છે અને એક્ઝક્ટ એમ જ છે.
એ તો ટેપતી ભૂલ ! દાદાશ્રી : તમને વાત સમજાય છે ને ? પ્રશ્નકર્તા : આપ કહો છો, તે સાંભળ્યા કરું છું.
દાદાશ્રી : હું શું કહું છું કે મારું એવું સાંભળશો જ નહીં. ખોટું હોય તો તરત જવાબ આપો. હું ખોટાને સાંભળવા તૈયાર છું. મારું સાચું કરાવવા બેઠો નથી. કારણ કે આ ટેપરેકર્ડ છે. તમે જૂઠું કહી શકો, ‘ખરાબ છે' એવું પણ કહી શકો. કારણ કે આનો હું જ્ઞાતા-દ્રષ્ટા છું. એની ‘કઈ ભૂલ છે' એ હું તપાસ કરું છું. એટલે મારી વાણી જાણીને ભડકશો નહીં. આ વાણી મારી નથી, આ ટેપરેકર્ડ છે.
સહુને સમજાવતારી, આ વાણી જ !
પ્રશ્નકર્તા: “આ મારી વાણી નથી” એવું પણ વાણી દ્વારા જ કહો છો ને ? એ શું છે ?
દાદાશ્રી : એ તમને સમજાવવા માટે, તમારી અણસમજણ નીકળી જાય એટલાં માટે. “આ મારી વાણી છે” એવું તમે માનો છો એ નીકળી જાય. કારણ કે હું આ વાણીથી જુદો છું.
પ્રશ્નકર્તા : પણ આપ જે કહેવા માગો છો, એ વાણી દ્વારા જ નીકળી રહ્યું છે એવું કહી શકાય ? જે સામાને સમજાવવા માગો છો, એ વાણી દ્વારા જ કહી શકો છો ને ?