________________
વાણીનો સિદ્ધાંત
છૂટવાના કામી જ છીએ. એ કઠણ બોલે તો ય આપણે મૃદુ-ૠજુ ભાષા બોલવી જોઈએ. કારણ કે એ જવાબદાર નથી. એ તો ફાવે એવું બોલે. આપણે જવાબદાર છીએ. આપણે એક જ દિશામાં જવાનું છે.
૩૯૯
સુસ્વર - દુ:સ્વર !
આ તો મન ફ્રેકચર થઈ ગયું, બુદ્ધિ ફ્રેકચર થઈ ગયેલી, વાણી ફ્રેકચર થઈ ગયેલી. એ બોલે તો પેલા સામાને ખોટું લાગે. કેટલાક માણસ જમવા બોલાવવા આવે તે, આપણને બધાને, તે અહીં બોલાવવા આવે કે પહેલાં એ કઠોર બોલે એવું, તે આપણા મનમાં એમ થાય કે આથી જમવા ના ગયા હોય તો સારું પડત. એ ભાષા જ એવી બોલેને કે એને સારું બોલતા જ આવડતું નથી.
પ્રશ્નકર્તા : એ શું બોલે ? કેવું બોલે ?
દાદાશ્રી : હમણે કો'ક આવે કહેશે, ‘બધા અક્કલ વગરનાં અહીં બેસી રહ્યા છો ? ઊઠોને, જમવા.’ ત્યારે પેલાં કહેશે, ‘અલ્યા, જમી રહ્યા અમે. હવે આ તે અહીં જમાડ્યા, તે ઓછું છે આ ?!’ એને દુઃસ્વર
કહેવાય.
જો અક્કરમીને ભાગ કાગડા જેવા શબ્દ આવ્યા છે. આપણા હિતને માટે બોલતો હોય તો ય આપણે કહીએ, ‘ના બોલો તો સારું. એનાં કરતાં અહિત થાય તો સારું. આનાં કરતાં મરી જવાય તો બહેતર
છે. પણ આ ના બોલે તો સારું.’ જીવવાનું ય ના ગમે, એનાં બોલ એવાં કડવાં લાગે.
કેટલાક ખીચડી ખવડાવે, તે એવું મીઠું બોલે કે ‘ભઈ, જરા જમવા પધારોને.’ તે આપણને ખીચડી એવી સુંદર લાગે. ભલેને ખીચડી એકલી હોય, પણ એ સુસ્વર. એટલે સ્વર ને બધું ના જોઈએ ? બધું જોઈએ ને !
પોઝિટીવ ‘બોલ’તી, પોઝિટીવ અસરો !
એક ભાઈ મને પૂછે કે, ‘તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે ?” ત્યારે મેં કહ્યું કે ‘આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના
વાણીનો સિદ્ધાંત
બંધ થશે ત્યારે.’ કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે.
હંમેશાં પોઝિટીવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટીવ બોલો. પોઝિટીવમાં નેગેટીવ ના બોલાય. પોઝિટીવ થયું, એમાં નેગેટીવ બોલીએ એ ગુનો છે અને પોઝિટીવમાં નેગેટીવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. ‘કાંઈ જ બગડ્યું નથી' એમ બોલતાંની સાથે મહીં કેટલો ય ફેરફાર થઈ જાય. માટે પોઝિટીવ બોલો.
४००
મન છે તે વર્ષોનાં વર્ષો ગયા, પણ એક સહેજે ય નેગેટીવ થયું નથી મારે. સહેજે ય, કોઈપણ સંજોગોમાં નેગેટીવ થયું નથી. આ મન જો પોઝિટીવ થઈ જાય લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટીવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને.
પોઝિટીવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટીવ અને નિશ્ચયમાં પોઝિટીવ નહીં ને નેગેટીવ ય નહીં !
܀܀܀܀܀