SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૫ વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : વિચાર કરવાની પ્રક્રિયા એટલી બધી ઝડપી થઈ જાય દાદાશ્રી : ના. એ તમારી ભૂલ છે. ત્યાં વિચારવાનું ના હોય. નહીં તો બફાઈ જાય, બધો આખો કેસ જ બફાઈ જાય. વિચારવાનો ટાઈમ જ ના મળે ને. વિચારીને બોલાતું હોય તો કામ શી રીતે થાય ? એટલે એવું છે ને, બોલતી વખતે વિચાર હોય જ નહીં માણસને, નહીં તો કોઈ એક જ વાક્ય બોલવું હોય, તો એની પાછળ કલાક કલાક વિચાર્યા પછી બોલાય. માણસ જો કદી બોલી શકતો હોય, માણસને જો જાતે બોલવું હોય, તો વિચારીને બોલવું જોઈએ. અને વિચારીને બોલે તો એક વાક્ય એક કલાક વિચાર કર્યા પછી જ બોલાય. પ્રશ્નકર્તા : પણ બધી વખતે ના થાય. શરૂઆતમાં થાય. પછીથી કલાક ના થાય. દાદાશ્રી : ના. એ ના બની શકે. આ તો મહીં રચના શું છે, તે એ રચના હું જાતે જોઈને કહું છું. વિચારીને એક વાક્ય બોલીએ ને, તો એક કલાક થાય. પછી પાછું બીજું વાક્ય કલાક પછી બોલે. ત્યારે આપણે જાણીએ કે વિચારીને બોલે છે આ. એટલે એક એક શબ્દ વિચાર કરી કરીને પછી ત્યાં આગળ વેલ્ડિંગ કરતો કરતો પછી આખું વાક્ય બોલે એ. એટલે આપણે ત્યાં એની જોડે કલાક થાય, ત્યારે એક વાક્ય આપણને એ કહે. બોલો, સંસાર વ્યવહાર શી રીતે ચાલે આપણો ? આપણે કહીએ કે, “છોકરાનો વિવાહ કરવો છે ?” તો પછી કલાક સુધી વિચાર કરીને આપણને એક વાક્ય કહે, તો એનો તો મેળ ક્યારે પડે ? બોલો, કહો. પ્રશ્નકર્તા : પાર જ ના આવે એનો. ડિસાઈડડ છે. નહીં તો ભૂલ જ ના હોય ને ! એટલે પહેલાનું છે, એટલે ભૂલવાળી વાણી નીકળે છે. વિચારો અમુક જ હોય, ને તે ય પાછાં દરેકનાં જુદા જુદા હોય. કોઈને આવ્યો, કોઈને ના આવ્યો, બસ ઠોકયે જ રાખે છે. એટલે વિચાર કર્યા વગર ફેંકયે જ રાખે છે, નહીં ? શું કૉઝ છે એની પાછળ ? એ ટેપરેકર્ડ છે. આ તો પહેલા ટેપ થયેલું છે, એ બોલી જાય છે ને બીજું મહીં ટેપ થઈ રહ્યું છે. પાછલું ટેપ થયેલું બોલે છે. પ્રશ્નકર્તા : એટલે શું પહેલાથી ટેપ થયા સિવાય બોલાતું જ નથી ? દાદાશ્રી : ટેપ જ થયેલું છે. નહીં તો માણસ બોલી શકે જ નહીં. નહીં તો એક વાક્ય બોલતા બોલતા તો એક કલાક થાય. અને આ તો મિનિટમાં જ વીસ-પચ્ચીસ વાક્યો કહી દે છે. પ્રશ્નકર્તા : એક કવિએ કહ્યું છે કે ‘વિચારીને વાણી બોલો.’ દાદાશ્રી : ‘વિચાર કરીને બોલવું” એ તો આપણે બોર્ડ વાંચ્યું. બોલવું એ જુદું છે અને બોર્ડ વાંચવું એ જુદું છે. બોર્ડ વાંચ્યું, તેનું આવતા ભવમાં ફળ મળે. બોર્ડ વાંચવાથી કંઈ આ ભવમાં ફળ મળે નહીં. વાણી' પાછળ વિજ્ઞાન ગૂઢ ! પ્રશ્નકર્તા : વકીલો કોર્ટમાં તો તૈયાર કરીને જાય છે. દાદાશ્રી : ના. એ તૈયારી થઈ ગયેલી છે. આ ટેપરેકર્ડ જ નીકળે દાદાશ્રી : એટલે વિચારવું ને બોલવું, બે સાથે નથી બનતું. પ્રશ્નકર્તા : પણ વિચાર્યા પછી તો એ બોલે ખરો ને ? દાદાશ્રી : હા, બોલે ખરો. પણ તે આ વિચાર એ પહેલાનાં પ્રશ્નકર્તા : વકીલ પહેલો અભ્યાસ કરે, એ પછી મગજમાં ટેપિંગ થઈ જાય કે મારે આની સામે કેવી રીતે જુબાની આપવાની છે અને તે ટેપિંગ જ પછી બોલે. દાદાશ્રી : ટેપિંગ તરત થતું નથી. આ જે મૂળ ટેપ થાય છે, તેનું ટેપનું તો બહુ જ મોટું કારણ છે. પણ આ તો અભ્યાસમાં સહજ અભ્યાસ કરે છે. એણે તો આ કેસ જોઈ લીધો કે આ પ્રમાણે છે અને ક્યા કાયદા
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy