________________
વાણીનો સિદ્ધાંત
૩૫૭
૩૫૮
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તે આપણે કહીએ જ છીએને. એક્સેપ્ટ ના કરીએને ત્યારે તો આપણે ફકીર વસ્તીને ના ગણે ને વસ્તી ફકીરને ના ગણે. પેલું ફકીર જેવું થઈ જાય. આ તો ભળતા રહીને આપણું વિજ્ઞાન સર્વશ્રેષ્ઠતા બતાવે છે.
હું અનેકાંત વાણી બોલું છું. આ જેટલાં સંપ્રદાયો છે એ બધા એકાંતિક છે. એકાંતિક એટલે આ અમારું સાચું ને પેલાનું ખોટું. વીતરાગ વાણી જોઈએ. વીતરાગમાં કોઈ પણ ગચ્છમત ના હોય, કોઈ વાડી-વાડી ના હોય. બિનસંપ્રદાય હોય. અનેકાંત હોય. તે આ હું અનેકાંતવાણી બોલું છું. કોઈ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ન દુભાય એટલા માટે મારી પાસે સ્થાનકવાસી શ્વેતાંબરી, દિગંબરી, વૈષ્ણવો, મુસ્લીમો, પારસી લોકો, બધાં સાંભળવા આવે. અનેકાંત વાણી છે એટલે. - કોઈ પોતાના ધર્મની વાતો કરતો હોય, એ મીઠી મીઠી વાતો કરે તો ય તમને સમજણ પડે ખરી કે આ સાચી છે કે આ ખોટી વાત છે એમ ?! તરત સમજણ પડી જાય નહીં ?
તો એ ભૂલ છે.
એમની વાણી એકપક્ષી હોય. પક્ષપાતી હોય. એક પક્ષના સાધુ હોય અને બીજા પક્ષના સાધુ હોય તો બે બોલેને, તે બેઉની પક્ષપાતી વાણી હોય. તે સામાને કડવું ઝેર જેવું લાગે. અમારે એવું ના હોય. ભગવાનની તો વાત જ કેવી હશે ત્યારે ? જો અમારું આટલું સરસ છે. બધા ભેગા થાય છે, મારો કોઈ વાંધો ઉઠાવતા નથી કે તમે પક્ષપાતી છો. તો ભગવાનનું કેવું હશે !
ભૂલવાળી વાણી ભૂંસી નાખવી ! કોઈ ગાળ ભાંડે તો સ્યાદ્વાદ શું કહે છે કે કોઈ ગુનેગાર નથી. સ્યાદ્વાદ તેનું જ્ઞાન આપે છે. સ્યાદ્વાદ શું કહે છે કે તે તેનું દ્રષ્ટિબિન્દુ છે. ગુનો પોતાનો છે. બાકી તેને દેખાયું, તેવું તે બોલે.
સ્યાદ્વાદ વાણી ન હોય ને, તો એ શબ્દ કેટલાંકને હિતકારી થઈ પડે ને કેટલાંકને નુકસાનકારક થઈ પડે. અને સ્વાવાદ વાણી હોય તો બધાને હિતકારી થઈ પડે.
પ્રશ્નકતો : હી, તરત.
દાદાશ્રી : હા, તરત સમજણ પડી જવી જોઈએ.
પક્ષપાતી વાણી તમે સાંભળેલી ખરી, કોઈ જગ્યાએ ? જે આપણને મતનો રંગ ચઢાવે એ બધી પક્ષપાતી વાણી. આ અમારું, આ અમારું.....
જેમાં ફાંટા પડે, એને વીતરાગ ધર્મ ના કહેવાય. કારણ કે ભગવાનનો અનેકાંત ધર્મ છે અને સ્વાવાદ ધર્મ છે. ભગવાનનો માર્ગ તો કોને કહેવાય કે જ્યાં પક્ષપાત ના હોય, નિષ્પક્ષપાત હોય. વેદાંતીઓ આવીને બેસે તો જૈનના આચાર્યનું સાંભળીને ખુશ થઈ જાય. આ તો જો કદી એક સંપ્રદાયના આચાર્ય બોલે, તો બીજા સંપ્રદાયવાળા ઊઠીને ચાલતા થઈ જાય. એટલે આ વાણી તો કોઈ કોઈનું સાંભળે નહીં.
આ બધી પક્ષીય વાણી છે, તેથી જ તો સમકિત નથી થતું. આખું ય સમકિત અટકયું છે. મનમાં કોઈ માનતા હોય કે મને સમકિત થશે
અમે તો શું કહ્યું છે ? આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજા સહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધન છે. માટે કોઈના માટે અક્ષરે ય બોલાય નહીં. કોઈ ધર્મનું ના બોલાય. કોઈ પંથનું ય ના બોલાય. છતાં અમે પાછાં બોલીએ છીએ. અમે કહેતા જઈએ, તે ટાઈપ થયેલું હોય છે. તે પાછું ભૂંસી નાખજો, એમ કહી દઈએ. ભરેલો માલ નીકળી જાય ને, બળ્યો. આપણી શ્રદ્ધામાં ના હોય, આપણા જ્ઞાનમાં ના હોય, તે પણ માલ નીકળે. ટેપરેકર્ડ છે ને, તેથી !
પ્રશ્નકર્તા : આપ તો કહો છો ને, કે જેટલું બોલ્યા, તેના સ્પંદન થયા. એટલે એ પછી છોડે નહીં ને !
દાદાશ્રી : તેનું ફળ આવે. પણ અહીં ટેપરેકર્ડમાં તો ના છપાય. અહીં જેટલું અટકાવાય, તેટલું તો અટકી જાય ને. અને આ જે સ્પંદન થયેલાં ને, એમાં અમને રાગ-દ્વેષ નથી. એટલે એ અમને અડે નહીં. મેં તો એમ